________________
૮૫
અર્થ - જિનાગમથી વિરુદ્ધ બોલવાથી, ઉન્માર્ગને સેવવાથી, અકથ્યપણાથી ઉત્પન્ન થયેલ, જે અકરણીય-નહિ કરવા યોગ્ય તે કરવે કરીને.
(ઉપરના અતિચાર કાયા અને વચન સંબંધીના કહ્યા હવે મન સંબંધી અતિચારનું સ્વરૂપ કહે છે.)
દુર્ગાને ધ્યાવવાથી (અને તેથી જ) દુષ્ટચિંતવન કરવા વડે કરીને, અનાચાર (જેથી વ્રતાદિકનો સર્વથા ભંગ થાય) તેથી, જે ઈચ્છવા યોગ્ય નથી અને શ્રાવકને ઉચિત નથી; તેવું અનુચિત કરવાથી થયેલા અતિચાર.
શાને વિષે લગાડ્યા હોય તે કહે છે. નાણે, દંસણ, ચરિત્તાચરિતે, સુએ, સામાઈએ, તિરહું ગુત્તીર્ણ.
અર્થ - જ્ઞાનને વિષે, દર્શનને વિષે, દેશવિરતિરૂપ શ્રાવકધર્મને વિષે, શ્રુત-સિદ્ધાંતને વિષે, સામયિકને વિષે, ત્રણ ગુમિને વિષે. ચઉહ કસાયાણ, પંચતં-મણુવ્રયાણું, તિણાં ગુણવયાણ, ચઉહ સિફખાવયાણું, બારસવિહસ્સ સાવગધમ્મસ્સ, જંખંડિએ, જં વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડ
૧. આ સૂત્રવડે દિવસ સંબંધી મન-વચન-કાયા વડે શ્રાવક ધર્મને વિષે કરેલા પાપની આલોચના થાય છે, માટે બોલતી વખતે ઉપયોગ રાખીને પોતે આખા દિવસમાં જે જે પાપાચરણ સેવ્યાં હોય તે તે યાદ લાવીને શુદ્ધ અંત:કરણથી પશ્ચાત્તાપ કરવો.