________________
૩૬૭
અર્થાત્ ગમે તેવો વાચાળ અને બુદ્ધિશાળી ઘૂવડ હંમેશા દિવસે અંધ હોવાથી સૂર્યનું સ્વરૂપ વર્ણવી શકે નહિ તેમ હું મંદબુદ્ધિ હોવાથી તમારું સ્વરૂપ વર્ણવી શકું તેમ નથી. (અહિ કવિ પોતાની લધુતા સૂચવે છે.) ૩.
મોહક્ષયા-દનુભવજ્ઞપિ નાથ! મર્યો, નૂન ગુણાનું ગણયિતું ન તવ ક્ષમત; કલ્પાન્ત-વાન્ત-પયસઃ પ્રકટોડપિ યસ્માનું, મીયેત-કેન જલધેર્નનું રત્નરાશિઃ? ૪.
અર્થ - હે નાથ! મોહનીયાદિ કર્મનો ક્ષય થવાથી-(અથવા અજ્ઞાનના ક્ષયથી) ગુણોને અનુભવતો (ભોગવતો) એવો મનુષ્ય પણ તમારા ગુણોને ગણવાને નિશે સમર્થ થતો નથી, જે કારણ માટે કલ્પાંતકાળને વિષે ફેંકી દીધું છે પાણી જેણે એવા સમુદ્રનો પ્રત્યક્ષ પણ રત્નનો સમૂહ નિક્ષે શું કોઈ વડે માપી શકાય છે? અર્થાત પાણી ઉછળી જવાથી પ્રકટ દેખાતો રત્નસમૂહ જેમ પામી શકાતો નથી તેમ મોહનીયાદિ કર્મના ક્ષયથી પ્રગટપણે તે ગુણોને જાણતા એવા કેવળી પણ તેની ગણતરી કરી શકતા નથી. ૪.
સ્તોત્ર કરવાનો હેતુ અભ્યઘતોડસ્મિ તવ નાથ? જડાશયોડપિ, કર્યું સ્તવં લસદસંખ્ય-ગુણાકરસ્ય; બાલોડપિ કિં ન નિજબાહુ-યુગ વિતત્ય, વિસ્તીર્ણતાં કથથતિ સ્વપિયાડમ્બરાશે ? ૫. ૧. ગુણોને અનુભવતા-કેવળી, અહીં એ સમજવાનું છે કે કેવળી પોતે તમારા ગુણોને અનુભવે છે. જાણે છે, છતાં આયુષ્ય અલ્પ અને ગુણો ઘણા તેથી ગણતરી કરી શકે નહીં (કહી શકે નહી).