Book Title: Panch Pratikramana Sarth
Author(s): 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 451
________________ ૪૪૮ સહસાગારેણં, મહત્તરાગારેણં, 'સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરામિ. II ઇતિ II *પોરિસિ-સાઢ-પોરિસિનું ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસિં, પચ્ચક્ખાણ ભૂલી જવાય અથવા પચ્ચક્ખાણનો વખત પૂરો થયા વિના અથવા થયો હોય છતાં પાર્યા વિના ખાવા યોગ્ય પદાર્થ ભૂલથી મોઢામાં નાંખીએ તો પચ્ચક્ખાણનો ભંગ થાય નહિ. એ માટે આ આગાર રાખવામાં આવે છે. પરંતુ કોઈ વસ્તુ મુખમાં નાંખતાં કે નાંખ્યા પછી યાદ આવે તો તરત જ તે વસ્તુ બાહર કાઢી નાખવી. જાણ્યા છતાં જો ખાય તો પચ્ચક્ખાણનો ભંગ થાય અને અજાણતાં મુખમાં નાખેલ પદાર્થ ખવાઈ ગયા પછી યાદ આવે તો પચ્ચક્ખાણનો ભંગ થાય નહિ. પરંતુ ફરીથી ભૂલ ન થાય તેટલા માટે યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત લેવું. આ પ્રમાણે સર્વ આગારોમાં સમજી લેવું. ૯. સહસાત્કારે સ્વયં (સ્વભાવે જ) મુખમાં આવી પડે એટલે પચ્ચક્ખાણનો ઉપયોગ હોવા છતાં વરસાદના છાંટા કે દહીં મથતાં દહીંના છાંટા વગેરે અચાનક મોઢામાં પડે તો પચ્ચક્ખાણ ભંગ થાય નિહ. ૧૦. મોટી નિર્જરાના હેતુભૂત સંઘાદિ કાર્યને માટે ડિલની આજ્ઞાથી પચ્ચક્ખાણનો કાળ થયા પહેલાં પારે તો ભંગ થાય નહિ. ૧૧. તીવ્રશૂળાદિ રોગથી વિલ થયેલને શરીરની સ્વસ્થતા સાચવવા માટે ઔષધ પથ્યાદિ કારણે પચ્ચક્ખાણનો કાળ પૂર્ણ થયા પહેલાં જમે તો પચ્ચક્ખાણ ભંગ થાય નહિ. આવે પ્રસંગે ચિત્તની સ્થિરતાએ પરિણામ ટકે ત્યાં સુધીનો નિયમ સાચવવો પણ પરિણામ ટકતા ન હોય તો પછી અન્યથા પ્રવૃત્તિ કરતાં દોષ નથી. ૧૨. ગુર્વાદ પચ્ચક્ખાણ આપતા હોય ત્યારે અહીં વોસિરઇ પદ કહે અને પચ્ચક્ખાણ લેનાર હોય તે વોસિરામિ પદ કહે, * પુરૂષ પ્રમાણ છાયા જે વખતે હોય તે પોરિસી (પોરૂષી) અથવા તે છાયાનું માપ આ પ્રમાણે જાણવું. પુરૂષ જમણા કાને સૂર્યનું બિંબ રાખીને દક્ષિણાયન (કર્કસંક્રાંતિ) ના પહેલે દિવસે ઢીંચણની છાયા જોવી. તે બે પગલાં (બાર આંગળનું એક પગલું) છાયા હોય ત્યારે પોરિસિ જાણવી, તે

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466