________________
૪૫૩ મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુ-લેવેણ વા, સસિન્હેણ વા, અસિત્થણ વા વોસિરઈ.
ઇતિ બિયાસણા “એકાસણાનું પચ્ચકખાણ. ૧. પાનકસ્ય-પાણીના, તિવિહાર કે ચઉબિહારે એકાસણું કરનારને આ પાણી સંબંધીના છ આગાર અવશ્ય કહેવા અને દુવિહારમાં અચિત્તભોજીને કહેવા અને અચિત્ત જળ વાપરનારને પણ આ આગાર કહેવા.
૨. લપાતા અહીં ત્રીજી વિભક્તિ પંચમીના અર્થમાં હોવાથી પંચમી લખી છે. લેપકૃત પાણી તે ઓસામણ, આમલી અને દ્રાક્ષનાં પાણી સમજવાં. આ છએ આગારમાં વા શબ્દ મૂક્યો છે તેથી એકથી બીજા ભેદનું અધિકપણું બતાવેલ છે એટલે કે લેપકૃત કરતાં અપકૃત સારૂં. તે કરતાં ત્રણ ઉભરાએ ઉકાળેલ સારૂં એમ યથાયોગ્ય જણવું એ છમાંથી ગમે તે પ્રકારનું જળ એકાસણાદિ પચ્ચકખાણવાળાને વાપરી શકાય તે માટે આ આગારો છે.
૩. અપકૃતાઢા અપકૃત પાણી તે લેપ વગરનું કાંજી પ્રમુખનું ધાવણ કે છાશની આછ વગેરે સમજવું.
૪. અચ્છા અચ્છ એટલે નિર્મળ જળ તે ત્રણ ઉકાળાથી ઉકાળેલું ઉષ્ણ જળ અથવા ફળાદિનું ધોવણ જાણવું.
૫. બહુલે પાદ્રા બહુલેપ એટલે ચોખા પ્રમુખનું ધોવણ.
૬. સસિકથા આટાથી ખરડાયેલ હાથ કે વાસણનું ધોવણ જેમાં આટાના રજકણ પણ આવી જાય છે.
૭. અસિકથાકા આટાથી ખરડાયેલ હાથ અથવા વાસણનું ધોવણ જેમાં આટાના રજકણ આવે નહિ એવું ગાળેલું ધોવણનું પાણી.
૮. એ કલઠાણ (એકસ્થાન)નું પચ્ચકખાણ કરવું હોય ત્યારે આઉટણપસારેણં એ આગાર વર્જીને બીજા બધા આગાર એકાસણા પ્રમાણે લેવા. આ પચ્ચકખાણમાં જમણો હાથ અને મુખ સિવાયના બધા અંગોપાંગ સ્થિર રાખવા અને જમતી વખતે જ ઠામ ચૌવિહાર કરવો.