________________
૪૪૩
અર્થ - હે દેવ! ગુરૂના વચનોને વિષે (ગુરુના ઉપદેશ વડે) મને વૈરાગ્યનો રંગ ન થયો, દુર્જનોનાં વચનોને વિષે મને શાન્તિ (સમભાવ) ન થઈ અને અધ્યાત્મજ્ઞાનનો અંશ કાંઈ પણ મને થયો નહિ તો આ ભવસાગર શી રીતે મારે તરવો? ૨૨.
પૂર્વે ભવેડકારિ મયા ન પુણ્ય-, માગામિજન્મ પિ નો કરિષ્ય; યદીદશોડહં મમ તેને નષ્ટા, ભૂતભવભાવિભવત્રયીશ!. ૨૩.
અર્થ :- મેં પૂર્વભવમાં પુણ્ય ન કર્યું અને આવતા જન્મને વિષે પણ નહિ કરીશ. જે કારણ માટે હું એવો છું, તે કારણથી મારા ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણે ભવો નાશ પામ્યાનિષ્ફળ ગયા. ૨૩.
કિં વા મુધાડહં બહુધા *સુધાભુક, પૂજ્ય ! ત્વદગ્રે ચરિત સ્વકીયમ્; જલ્પામિ યસ્માત્ *ત્રિજગસ્વરૂપ-, નિરૂપકવૅ કિયદેતદત્ર. ૨૪.
અર્થ - અથવા તો હે દેવ! હે પૂજ્ય! તમારી પાસે મારા પોતાના ચરિત્રને બહુ પ્રકારે ફોગટ હું શું કહું? જે કારણ માટે ત્રણ જગતના સ્વરૂપનું નિરૂપણ કરનારા તમે છો. તો અહી (તમારા વિષે) આ મારૂં ચરિત્ર શું માત્ર છે. ૨૪.
* સુધાભુપૂજ્ય ! એ પ્રકારે સમાસાન્ત પદ લઈએ ત્યારે દેવતાના પૂજય એવો અર્થ થાય છે.
+ ત્રિજગસ્વરૂપ! હે ત્રણ જગત છે સ્વરૂપ જેનું એવા અને નિરૂપક = સર્વજ્ઞ એવા બે પદો જુદાં પણ લઈ શકાય છે.