________________
૪૩૬
અર્થ :- હે સર્વજ્ઞ ! વિષયોમાં અંધ થયેલા એવા મેં કામદેવરૂપી રોગની પીડાની દશાના વશ થકી જે મારા આત્માને વિડંબના પમાડી તે તમોને-તમારી પાસે લજ્જાથી જ મેં પ્રકાશ કર્યું પ્રગટ કર્યું છે તમે પોતે જ તે સર્વ જાણો છો. ૧૧. ધ્વસ્તોડન્યમન્ત્રઃ પરમેષ્ઠિમન્ત્રઃ, કુશાસ્ત્રવાસ્વૈર્નિહતાડડગમોક્તિઃ; કનુઁ વૃથા કર્મ કુદેવસંગા-, ત્યાંછિ હી નાથ ! મતિભ્રમો મે. ૧૨.
અર્થ :- હે નાથ ! બીજા મંત્રો વડે કરીને પરમેષ્ઠી મંત્ર (નવકાર મંત્ર)નો મેં નાશ કર્યો-અવગણના કરી. કુશાસ્ત્રનાં વાક્યોએ કરીને આગમ (સિદ્ધાંત)ની વાણી હણી નાખી. ઢાંકી દીધી અર્થાત્ સાંભળી નહિ અને કુદેવના સંગથી નિષ્ફળ કાર્ય કરવાને મેં ઇછ્યું, તેથી વિસ્મય થાય છે કે મારો બુદ્ધિનો વિભ્રમ થયો છે. ૧૨. વિમુચ્ય દશ્લક્ષ્યગતં ભવાં, ધ્યાતા મયા મૂઢધિયા હૃદન્તઃ; કટાક્ષવક્ષોજગભીરનાભિ-, કટીતટીયાઃ સુદેશાં વિલાસાઃ. ૧૩.
અર્થ :- મૂઢ બુદ્ધિવાળા મેં દૃષ્ટિલક્ષ્યમાં આવેલા પ્રત્યક્ષ એવા આપને મૂકીને હૃદયને વિષે કટાક્ષ, સ્તન, ગંભીરનાભિ અને કટી પ્રદેશ સંબંધી સ્ત્રીઓના વિલાસોનું ધ્યાન કર્યું છે. ૧૩. લોલેક્ષણાવનિરીક્ષણેન, યો માનસો' રાગલવો વિલગ્નઃ;
૧. માનસે એવો પાઠ હોય ત્યાં “મનને વિષે” એવો અર્થ કરવો.