Book Title: Panch Pratikramana Sarth
Author(s): 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 443
________________ ४४० ચક્રે મયાડસસ્વપિ કામધેન... કલ્પ ચિન્તામણિષ સ્પૃહાર્નિ; ન જૈનધર્મે ફુટશર્મદેડપિ, જિનેશ? મે પશ્ય વિમૂઢભાવમ્. ૧૯. અર્થ :- હે જિનેશ્વર ! મેં અસત્ય એવા પણ કામધેનુ, કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્નને વિષે વાંછાની પીડા કરી. (અર્થાત્ કામધેનુ વગેરે અસત્ય પદાર્થો મેળવવા મારું મન આકર્ષાયું, પરંતુ પ્રકર્ષ રીતે સુખને આપનાર જૈનધર્મને વિષે વાંચ્છા કરી નહિ, મારા વિશેષ પ્રકારના મૂઢપણાને તમે જુઓ. ૧૯. સભોગલીલા ન ચ રોગકીલા, ધનાગમો નો નિધનાગમસ્થ; દારા ન કારા નરકસ્થ ચિત્તે, વ્યચિત્તિ નિત્યં મયકાડધમેન. ૨૦. અર્થ-અધમ એવા મેં હંમેશાંચિત્તને વિષે સારા સારા ભોગ (સંસારસુખ)ની લીલા ચિંતવી પણ એ રોગોની જ્વાળા છે એમ નચિંતવ્યું વિચાર્યું), ધનની પ્રાપ્તિચિંતવી પણ એ મરણની પ્રાપ્તિ તુલ્ય છે એમ નચિંતવ્યું, સ્ત્રીઓ ચિંતવી પરંતુ એ નરકના કેદખાના (નરકના બંધનરૂપ) છે એમ ન ચિંતવ્યું. ૨૦. ૧. અહીં અસત્સુને ઠેકાણે સત્સુ એવો પાઠ હોય ત્યાં આ પ્રમાણે અર્થ કરવો-કામધેનું, કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્ન મને પ્રાપ્ત થયે છતે પણ મેં (આર્સિ) આર્તધ્યાન કર્યું, પરંતુ પ્રકટ રીતે સુખ આપનાર એવા પણ જૈનધર્મને વિષે (સ્પૃહા) ઈચ્છા ન કરી, તો હે જિનેશ્વર ! મારી મૂર્ખાઈ જો તું.

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466