Book Title: Panch Pratikramana Sarth
Author(s):
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૦૩
મહોત્સવાનંતર - મહોત્સવ કર્યા | દત્ત્વા - દઈને. પછી. | નિશમ્યતાં - સાંભળો.
કર્ણ - કાન.
સ્વાહા - સ્વાહા.
ભો ભો ભવ્યાઃ ! શુષુત વચનં પ્રસ્તુતં સર્વમેત ્, યે યાત્રાયાં ત્રિભુવન-ગુરો-રાર્હતા ભક્તિભાજઃ; તેષાં શાન્તિર્ભવતુ ભવતા-મર્હદાદિપ્રભાવા,દારોગ્યશ્રીકૃતિ-મતિકરી ક્લેશ વિધ્વંસહેતુઃ૪. ૧.
અર્થ :- તીર્થંકરદેવનું સ્નાત્ર કરનાર શ્રાવકોમાંથી વિશિષ્ટ ગુણવાન્ શ્રાવક હોય તે ઉભો થઈને નીચે પ્રમાણે કહે છે-અહો ! આર્હત શાસનમાં રક્ત એવા ભવ્ય લોકો ! આ અવસર ઉચિત સર્વ વચન તમે સાંભળો. જે (તમો) ત્રણ ભુવનના ગુરુ (વીતરાગ)ની યાત્રા (જન્મ-મહોત્સવ)ને વિષે ભક્તિવડે યુક્ત છો તે તમોને અરિહંતાદિ પંચપરમેષ્ઠીના માહાત્મ્ય (પ્રસાદ) થકી આરોગ્યતા, લક્ષ્મી, સંતોષ અને વિશિષ્ટ બુદ્ધિને કરનારી તથા રાગ-દ્વેષાદિના નાશના કારણભૂત એવી (દુઃખ, પાપ અને ઉપસર્ગના ઉપશમરૂપ અથવા કલ્યાણરૂપ) શાન્તિ થાઓ. ૧.
ભો ! ભો ! ભવ્યલોકાઃ ! ઇહ હિ ભરતૈરાવતવિદેહસંભવાનાં સમસ્તતીર્થ-કૃતાં જન્મન્યાસનપ્રકમ્પાનન્તર-મવધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિઃ સુઘોષાઘષ્ટા-ચાલનાનન્તર સકલ-સુરાસુરેન્દ્રઃ સહ
૧. મુક્તિ ગમન યોગ્ય જીવો. ૨. અર્હત્ (વીતરાગ) છે દેવ જેના તે, એટલે અરિહંત દેવના ભક્તો. ૩. અવિઘાથી ઉત્પન્ન થયેલા કદાગ્રહ અથવા રાગદ્વેષાદિ કષાય. ૪. નપુંસકલિંગ અથવા સ્ત્રીલિંગ હોય તો પણ હેતુ શબ્દ પુલિંગમાં જ વપરાય છે.

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466