________________
૪૨૭
જિણપણાં તત્ત, આ સમ્મત્ત મએ ગહિએ. ૧૪.
અર્થ - માવજીવ સુધી અરિહંત મહારા દેવ છે. સુસાધુઓ મારા ગુરૂ છે. વીતરાગ દેવે પ્રરૂપેલ તત્ત્વ અને માન્ય છે. એ પ્રમાણે સમ્યકત્વને મેં ગ્રહણ કર્યું છે. ૧૪.
ખમિઆ ખમાવિઅ માં ખમિઅર, સવ્વહ જીવનિકાય; સિદ્ધહ સાખ આલોયણહ, મુઝહ વઈર ન ભાવ. ૧૫.
અર્થ:- સર્વ જીવનિકાયોને ખમાવીને અને ખામીને મારે વિષે અપરાધો ખમો. સિદ્ધની સાક્ષીપૂર્વક હું આલોચના કરું છું, મારે કોઈની સાથે વૈરભાવ નથી. ૧૫.
સવ્વ જીવા કમ્યવસ, ચઉદહરાજ ભમંત; તે મે સવ ખમાવિઆ, મુઝવિ તેહ ખમંત. ૧૬.
અર્થ:- સર્વ જીવો કર્મવશ થકી ચૌદ રાજલોકને વિષે ભમે છે, તે સર્વને મેં ખમાવ્યા છે. મને પણ તેઓ ખમો. ૧૬.
જે જે મણેણ બદ્ધ, જે જં વાએણ ભાસિયં પાવે; જે જંકાએણ કર્ય, મિચ્છા મિ દુક્કડ તસ્ર. ૧૭.
અર્થ:- જે જે પાપ મનવડે બંધાયું. જે જે પાપ વચન વડે બોલાયું અને જે જે પાપ કાયા વડે કરાયું છે તે મારું પાપ ફોગટ થાઓ અર્થાત તે પાપનો મિચ્છા મિ દુક્કડ દઉં છું. ૧૭.
ઇતિ સંસ્કારક વિધિ સંપૂર્ણ. ૧. દયા મૂળ અને વિનય મૂળ તત્ત્વ અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને
તપ રૂપ તત્ત્વ. ૨. ખમણ ઇતિ પાઠાન્તરમ્.