________________
૩૭૬
કે - ઠંડો હિમ જેમ વૃક્ષોને બાળે છે તેમ તમે ક્રોધ વિના પણ કર્મરૂપ ચોરને બાળો છો તે યુક્ત છે. ૨૩.
ત્યાં યોગિના જિન ! સદા પરમાત્મરૂપ-, મન્વષયન્તિ હૃદયામ્બુજ-કોશ-દેશે; પૂતસ્ય નિર્મલરુચે-ર્યદિ વા કિમન્ય-, દક્ષસ્ય સમ્ભવિ પદં નનુ કર્ણિકાયાઃ ૧૪. અર્થ :- હે જિન ! મહર્ષિઓ હૃદયરૂપ કમળના ડોડાના મધ્યભાગને વિષે સિદ્ધસ્વરૂપી એવા તમોને નિરંતર જ્ઞાન ચક્ષુવડે જોવે છે. અથવા નિશ્ચે પવિત્ર અને નિર્મળ કાન્તિવાળા કમળના બીજનું કર્ણિકા થકી બીજું સ્થાન શું સંભવે ? અર્થાત્ કમળના બીજનું સ્થાન જેમ કર્ણિકા છે તેમ તમે પણ કર્મમલનો નાશ થવાથી પવિત્ર એટલે ચિદાનંદ સ્વરૂપે પ્રગટ થયેલા હોવાથી નિર્મળ કાન્તિવાળા છો માટે યોગીન્દ્રના હૃદયકમળના મધ્યભાગરૂપ કર્ણિકા એ જ તમારું યોગ્ય સ્થાન છે. ૧૪.
ધ્યાનાજ્જિનેશ ! ભવતો ભવિનઃ ક્ષણેન, દેહં વિહાય પરમાત્મ-દશાં વ્રજન્તિ; તીવ્રાનલા-દુપલભાવમપાસ્ય લોકે, ચામીકરત્વ-મચિરાદિવ ધાતુભેદાઃ ૧૫.
-
અર્થ :- હે જિનેશ્વર ! લોકને વિષે ધાતુભેદો (માટીપાષાણમાં મળેલ ધાતુ) પ્રબળ અગ્નિ વડે પાષાણપણાનો ત્યાગ
૧. સંભવતીતિ સંભવિ.
૨. ભ્રમરી થકી બીક પામેલી ઈયળ ભ્રમરીનું ધ્યાન કરતી છતી ભ્રમરીરૂપ જેમ થાય તેમ વીતરાગનું ધ્યાન કરનાર જીવ વીતરાગ સ્વરૂપ થાય છે. અર્થાત્ જે ધ્યાન કરે તે તેવો થાય છે.