________________
૩૮૫
સાન્નિધ્યતોડપિયદિ વા તવ વીતરાગ !, નીરાગતાં વ્રજતિ કો ન સચેતનોડપિ. ૨૪.
અર્થ :- હે પ્રભુ! ઉંચે જતા (પ્રસરતા) એવા તમારા નીલકાન્તિના મંડળ (ભામંડળ) વડે આચ્છાદન થઈ છે પાંદડાંની કાન્તિ જેની એવો અશોકવૃક્ષ હોતો થવો. અથવા હે વીતરાગ ! તમારા સમીપપણાથકી ચેતના સહિત એવો પણ કયો પુરુષ નિર્મળત્વને ન પામે ? અર્થાત્ તમારા સમીપપણાથી સચેતન, (પ્રગટ ચેતનવાળો) વૈરાગ્યને પામે છે તો અચેતન (અપ્રગટ ચેતનવાળો) અશોકવૃક્ષ નીરાગતા (નિસ્તેજપણું) ને પામે તે યુક્ત જ છે. કેમકે અચેતનને ગમે તે ફેરવી શકે પણ સચેતનને તો જ્ઞાનવાન હોય તેજ પ્રતિબોધી શકે. ૨૪
દેવદુંદુભિ પ્રાતિહાર્ય ભોઃ ભોઃ પ્રમાદ-અવધૂય ભજથ્વ-મેન-, માગત્ય નિવૃતિ-પુરી પ્રતિ સાર્થવાહમુ; એકત્રિવેદયતિ દેવ! જગત્ ત્રયાય, મજે નદન્નભિનભઃ સુરદુંદુભિસ્તે. ૨૫
અર્થ - હે દેવ! હું એમ માનું છું કે- આકાશને વ્યાપીને શબ્દ કરતો એવો તમારો દેવદુંદુભિ ત્રણ જગતને આ પ્રકારે નિવેદન કરે છે (ઉદ્ઘોષણા કરે છે) કે હે - ત્રણ જગતના લોકો ! તમે આળસનો ત્યાગ કરીને અહીં આવીને મોક્ષનગરી પ્રત્યે સાર્થવાહતુલ્ય આ પાર્થપ્રભુને ભજો. અર્થાત્ દેવ દુંદુભિ
૧. તમારું વચનશ્રવણ અને રૂપદર્શન તો દૂર રહો, પરંતુ તમારા સમીપપણા થકી જ અચેતન અશોકવૃક્ષ તો દૂર રહો પરંતુ સચેતન એવો 'પણ કોણ વૈરાગ્ય ન પામે? અર્થાત્ પામે જ.
૨૫