________________
૩૯૯
વિગલિત - વિશેષે ગળી ગયા છે. | અચિરાત્ - તત્કાળ. મલનિચયાઃ - કર્મમલના સમુહ | મોક્ષ - મોક્ષને.
જેના એવા | પ્રપદ્યન્ત - પ્રાપ્ત કરે છે. દેવેન્દ્રવંદ્ય! વિદિતાડખિલ-વસ્તુસાર !, સંસાર-તારક! વિભો! ભુવનાધિનાથ; ત્રાયસ્વ દેવ! કરુણા-હૃદ! માં પુનીહિ', સીદન્ત-મદ્ય ભયદ-વ્યસનાબુરાશે. ૪૧.
અર્થ:- હે દેવેન્દ્રો વડે વંદન કરવા યોગ્ય ! હે જાણ્યું છે સમસ્ત વસ્તુનું રહસ્ય (પરમાર્થ) જેણે એવા! હે સંસારસમુદ્રથકી તારનાર! હે વિભુ! હે ત્રણ ભુવનના નાથ! હે દેવ! હે કરુણાના દ્રહ (દયાસમુદ્ર) ! સીદાતા (વિષાદ પામતા) એવા મને ભયને આપનાર એવા સંકટના સમુદ્રથકી હમણાં રક્ષણ કરો અને (પાપનો નાશ કરીને) પવિત્ર કરો. ૪૧.
યદ્યસ્તિ નાથ! ભવદંથ્રિ-સરોરુહાણાં, ભક્તઃ ફલ કિમપિ સન્નતિ-સંચિતાયા; તન્મે ત્વદેક-શરણસ્ય શરણ્ય ભૂયા, સ્વામી ત્વમેવ ભુવનેડત્ર ભવાન્તરેડપિ. ૪૨.
અર્થ - હે નાથ ! પરંપરાના સંચયને કરવાવાળી એવી તમારા ચરણકમળની ભક્તિનું જો કંઈપણ ફળ હોય તો તે શરણ કરવા યોગ્ય ! તમારું એક શરણ છે જેને એવા (તમારે જ શરણે આવેલા) મને આ લોકને વિષે અને જન્માંતરને વિષે ૧. પ્રસદ્ય પ્રસાદ કરીને પ્રસીદ પ્રસાદ કરો, એવા બે પાઠાન્તરો પણ છે. ૨. સંતતસંચિતાયા: એવો પાઠ હોય ત્યાં આ પ્રમાણે અર્થ લેવો-નિરંતર
કરવા વડે વૃદ્ધિ પામેલી.