________________
૩૯૬
તેનેહ જન્મનિ મુનીશ ! પરા-ભવાનાં, જાતો નિકેતન-મહં મથિતા-શયાનામ્. ૩૬.
અર્થ :- હે દેવ ! હું માનું છું કે-જન્માંતરને વિષે પણ મેં વાંછિતને આપવામાં ચતુર એવું તમારું ચરણયુગલ પૂજ્યું નથી, તે કારણથી જ હે મુનીશ ! આ જન્મમાં હું મથન કર્યો છે ચિત્તનો આશય જેણે એવા પરાભવોનું સ્થાન થયો છું. અર્થાત્ તમારા ચરણયુગલને પૂજનાર પરાભવનું સ્થાન થતો જ નથી. ૩૬.
નૂનં ન મોહ-તિમિરા-વૃત-લોચનેન, પૂર્વ વિભો ! સમૃદપિ પ્રવિલોકિતોઽસિ; મર્માવિધો વિધુરયન્તિ હિ મા-મનર્થાઃ, પ્રોદ્યત્ત્રબન્ધ-ગતયઃ કથ-મન્યથૈતે. ૩૭.
અર્થ :- હે પ્રભુ ! મોહરૂપ અજ્ઞાનાંધકારવડે આચ્છાદન થયાં છે નેત્રો જેનાં એવા મારા વડે તમે નિશ્ચે પ્રથમ એક વાર પણ જોવાયેલા નથી. નહિતર (તમને જોયા હોત તો) મર્મસ્થાનને ભેદનારા અને પ્રકર્ષે ઉદય આવેલી કર્મબંધની પ્રવૃત્તિ છે જેને વિષે એવા આ દુ:ખો મુજને કેમ પીડે ? અર્થાત્ પ્રભુનું દર્શન કરનારને કષ્ટ પ્રાપ્ત થતું નથી. ૩૭. આકર્ણિતોપિ મહિતોઽપિ નિરીક્ષિતોઽપિ, નૂનં ન ચેતસિ મયા વિકૃતોઽસિ ભક્ત્યા; જાતોઽસ્મિ તેન જનબાંધવ ! દુ:ખપાત્ર, યસ્માત્ ક્રિયાઃ પ્રતિફલત્તિ ન ભાવશૂન્યાઃ. ૩૮. અર્થ :- હે જનહિતકારી ! તમોને (કોઈ પણ ભવને વિષે)
=
સાંભળ્યા પણ છે, પૂજ્યા પણ છે અને દીઠા પણ છે; પરંતુ ભક્તિવડે કરીને ચિત્તને વિષે નિશ્ચે ધારણ કરેલા નથી; તે કારણ