________________
૩૮૩ | દિવ્યધ્વનિ પ્રાતિહાર્ય સ્થાનેગભીર-હૃદયો દધિસમ્ભવાયા, પીયુષતાં તવ ગિરઃ સમુદીરયન્તિ; પીત્વા યતઃ પરમ-સંમદ-સંગભાજો, ભવ્યાવ્રજત્તિ તરસાડપ્ય-જરામરત્વમ્. ૨૧.
અર્થ:- હે સ્વામિન્! ગંભીર હૃદયરૂપ સમુદ્રથકી ઉત્પન્ન થયેલી એવી તમારી વાણીના અમૃતપણાને શ્રોતાઓ કહે છે તે યુક્ત છે. જે કારણ માટે ઉત્કૃષ્ટ હર્ષના સંયોગને ભજનારા ભવ્યજનો તમારી વાણીનું પાન કરીને (અત્યંત આદરવડે સાંભળીને) શીઘપણે પણ અજરામરપણાને પામે છે. અર્થાત્ જે કોઈ અમૃતને પીવે છે તે અજરામર થાય છે તેમ તમારી વાણીનું પાન કરનારા ભવ્યો ચિદાનંદ સ્વરૂપ થઈ અજરામર (મોક્ષ) સ્થાનને પામે છે. માટે તમારી વાણીને અમૃતતુલ્ય કહે છે તે યુક્ત છે. ૨૧.
ચામર પ્રાતિહાર્ય સ્વામિન્! સુદૂર-મવનમ્ય સમુત્પતન્તો, મન્ય વદતિ શુચયઃ સુર-ચામરૌઘા; વેડઐ નતિ વિદધતે મુનિપુંગવાય, તે નૂન-મૂર્ધ્વગતયઃ ખલુ શુદ્ધભાવાઃ ૨૨.
અર્થ:- હે સ્વામિન્ ! એમ માનું છું કે પવિત્ર એવા દેવોએ વિંઝેલા ચામરોનાં સમૂહો, અત્યંત નીચા નમીને પછી રૂડે પ્રકારે ઉંચે ઉછળતા છતા આ પ્રકારે કહે છે - “જે મનુષ્યો
૧. અમૃતની ઉત્પત્તિ સમુદ્રથકી ગણાય છે, માટે વાણીની ઉત્પત્તિ હૃદયસમુદ્રથકી કહી છે.