________________
૨૯૫
રવી, રૂવગુણેહિં પાવઇ ન તં તિઅસગણવઇ, સારગુણેહિં પાવઇ, ન તં ધરણિધરવઇ ॥ ૧૭ ॥ ખિજ્જિઅયં
અર્થ :- સૌમ્યગુણ વડે નવીન શરદઋતુનો ચંદ્ર તે (અજિતનાથ)ને પામી ન શકે, તેજ ગુણવડે નવીન શરદઋતુનો સૂર્ય તેને પહોંચે નહિ, રૂપ ગુણવડે ઇંદ્ર તેને પહોંચે નહિં અને સ્વૈર્ય ગુણવડે મેરૂપર્વત તેને પહોંચે નહિં અર્થાત્ તેની સમાન થઈ શકે નહિ. ૧૭.
તિસ્થવર-પવત્તયં તમરય-રહિયં, ધીરજણથુઅચ્ચિઅં ચુઅ-કલિકલુસં ॥ સંતિસુહપ્પવત્તયં, તિગરણ-પયઓ, સંતિમહં મહા-મુર્ણિ સરણમુવણમે ।।૧૮। લલિઅયં
અર્થ :- શ્રેષ્ઠ તીર્થ (ચતુર્વિધ સંઘ)ના પ્રવર્તક, અજ્ઞાન અને કર્મ (બાંધેલા અને નવા બંધાતા) રજથી રહિત (અથવા તમો અને રજોગુણથી રહિત), પંડિત પુરુષોવડે વાણીથી સ્તુતિ કરાયેલ અને પુષ્પાદિવડે પુજાયેલ, ગયા છે વૈર (કલહ) અને મલીનતા
૧. તિત્યયર એવો પાઠ પણ છે ત્યાં તીર્થતર એટલે પ્રકૃષ્ટ તીર્થ એવો થાય છે. અથવા શાન્તિસુખપ્રવૃત્તદં શાન્તિ સુખને માટે પ્રવર્તનાર (સંયમો)ને પાલન કરનારા એવો પણ અર્થ થાય છે.