________________
૩૬૪ તસ્ય - તેનું.
તવ - તમારૂં. અહમ્ - હું.
વર્ણયિતું વર્ણન કરવાને. એષ - આ પ્રત્યક્ષ.
અસ્માદશાઃ - અમારા સરખા. કિલ - નિશ્ચ.
કર્થ - કેવી રીતે. સંસ્તવન - સ્તવનને. અધીશ!- હે સ્વામી. કિરિષ્ય - કરીશ.
ભવન્તિ - થાય. સામાન્યતઃ - સામાન્યપણે. અધીશા - સમર્થ. અપિ - પણ.
ધૃષ્ટ - ધીઠો. સંપૂર્ણ કરીને કહ્યું કે અહીં ભદ્રા શેઠાણીનો પુત્ર અવંતિસુકુમાર અનશન કરી કાયોત્સર્ગમાં રહી ચ્યવીને નલિની ગુલ્મ વિમાનને વિષે ગયેલ છે, તે સ્થાને પિતાની યાદગીરીમાં તેના પુત્રે મહાકાળ નામનું નવીનચૈત્ય બંધાવી પાર્શ્વપ્રભુની પ્રતિષ્ઠા કરી હતી. કેટલાક કાળે મિથ્યાદષ્ટિઓએ તેના ઉપર મહાદેવનું લિંગ પધરાવી પ્રતિમાને ઢાંકી દીધી; તે મારી સ્તુતિ વડે હમણાં પાર્થપ્રભુ પ્રગટ થયા છે. સાંભળી રાજાએ હર્ષ પામી તે મંદિરના ખર્ચ માટે ગામ આપ્યાં અને પોતે સમ્યકત્વ અંગીકાર કર્યું. તે પછી સિદ્ધસેનસૂરિએ વિક્રમના અનુયાયી બીજા અઢાર રાજાઓને પ્રતિબોધ્યા. તેના ગુણથી રંજિત થઈ વિક્રમરાજાએ સુખાસન આપ્યું. જેમાં બેસીને તેઓ હંમેશાં રાજસભામાં જવા લાગ્યા. સિદ્ધસેન ૧૮ રાજાને પ્રતિબોધવાને ગયેલા તે આરંભમાં મગ્ન થયેલ છે એમ જાણીને વૃદ્ધવાદી ગુરુ તેમને પ્રતિબોધવા શ્રી ઉજ્જયિની આવ્યા. ત્યાં ભોઈ (સુખાસન ઉપાડનાર)નું રૂપ ધારણ કરીને દ્વારમાં ઉભા રહ્યા. જ્યારે સિદ્ધસેનસૂરિ સુખાસનમાં બેસીને રાજકારે જતા હતા ત્યારે વૃદ્ધવાદીએ એક ભોઈને ઠેકાણે રહી પાલખી ઉપાડી લીધી. વૃદ્ધ હોવાથી ધીમે ધીમે ચાલવા લાગ્યા ત્યારે સિદ્ધસેનસૂરિએ કહ્યું કે - ભૂરિભાર-ભરાકાન્તઃ સ્કંધ -કિં તવ બાધતિ? અહિ આત્મપદને સ્થાને બાધતિ પરસ્મપદનો પ્રયોગ વાપર્યો, તેથી વૃદ્ધવાદી બોલ્યા કે ન તથા બાબતે સ્કંધો યથા બાધતિ બાધતે. આ સાંભળી પોતાની ભૂલ જાણી ચમત્કાર પામ્યા અને ભૂલ કાઢનારને પોતાના ગુરુ જાણી પાલખીમાંથી ઉતરી નમસ્કાર કર્યો. ગુરુએ પ્રતિબોધી સંઘમાં લીધા. તે મહાન કવિ થયા છે તેના જેવા બીજા કોઈ કવિ ત્યારપછી થયા નથી.