________________
૩૬૨ શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર
કલ્યાણમંદિર - કલ્યાણનું ઘર. | અનિંદિત પ્રશસ્ય. ઉદાર - ઉદાર.
અંઘિપડાં ચરણકમળને. અવદ્યભેદિ - પાપને ભેદનારું. | સંસારસાગર-સંસારસમુદ્રને વિષે. ભીતાભયપ્રદં - ભય પામેલાને | નિમજ્જ - બૂડતા.
અભયને આપનારું. | અશેષજંતુ સમગ્ર પ્રાણીઓને. * આ કલ્યાણમંદિર સ્તોત્ર સિદ્ધસેનદિવાકરસૂરિએ રચ્યું છે. તેની ઉત્પત્તિ આ પ્રમાણે જાણવી-ઉજ્જયિની નગરીને વિષે રહેનાર વિક્રમરાજાના પુરોહિતનો પુત્ર અને દેવસિકા નામની માતાની કુક્ષિ થકી ઉત્પન્ન થયેલ મુકુંદ નામનો પંડિત ભૃગુકચ્છ (ભરૂચ) નગરે વાદ કરવા જતો હતો. રસ્તામાં વૃદ્ધવાદીસૂરિ મળ્યા. તેમની સાથે વાદ કર્યો અને ગોવાળોને સાક્ષી રાખ્યા. તેમાં તે હાર્યો, પછી રાજસભામાં વાદ કરતાં પણ વૃદ્ધવાદી જીત્યા. તેથી તેમનો શિષ્ય થયો. ગુરુએ કુમુદચંદ્ર નામ આપ્યું અને સૂરિપદ આપ્યું ત્યારે સિદ્ધસેનદિવાકર એવું નામ આપ્યું. તેણે એકદા વાદ માટે આવેલા ભટ્ટને સંભળાવવા માટે નવકારને બદલે નમોડર્યસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ- એ પ્રકારનું ચૌદ પૂર્વનું પહેલું સંસ્કૃત વાક્ય કહ્યું, વળી એક વખત ગુરૂ મહારાજને કહ્યું કે-આ સઘળા પ્રાકૃત સિદ્ધાંતો છે તેને હું સંસ્કૃત બનાવું? ત્યારે ગુરુએ કહ્યું કે-બાળ, સ્ત્રી, મંદબુદ્ધિવાન અને મૂર્ખ એવા ચારિત્રની ઈચ્છાવાળા મનુષ્યોના હિતને માટે તત્ત્વજ્ઞોએ પ્રાકૃતમાં સિદ્ધાંત રચ્યા છે માટે એ પ્રકારે બોલવાથી તમને મોટું પ્રાયશ્ચિત લાગ્યું, એમ કહીને તેમને ગચ્છ બહાર કર્યા. સંઘે વિનંતિ કરી કે આ મહાપ્રભાવક છે માટે ગચ્છ બહાર કરવા યોગ્ય નથી. એવો સંઘનો અતિઆગ્રહ થવાથી ગુરુએ કહ્યું કે-અઢાર રાજાઓને પ્રતિબોધીને જેન કરશે તો ગચ્છમાં લઈશું, તેથી સિદ્ધસેનજી ઉજ્જયિનીને વિષે ગયા, ત્યાંવિકમરાજા ઘોડા ખેલાવવા જતા હતા, તેણે રથ પાસેથી નીકળતા સિદ્ધસેનદિવાકરજીને પૂછ્યું કે તમે કોણ છો ? આચાર્યે કહ્યું કે સર્વજ્ઞપુત્ર છું, તેથી રાજાએ મનમાં નમસ્કાર કર્યો, એટલે આચાર્યે ધર્મલાભ આપ્યો. એટલે રાજાએ પૂછ્યું-કોને ધર્મલાભ