________________
૩૬૧ અર્થ:- હે ભગવંત ! જે બુદ્ધિમાન પુરુષ તમારા આ (ભક્તામર નામના) સ્તવનને ભણે છે તે પુરુષનો મદોન્મત્ત હસ્તિ, સિંહ, દાવાનળ, સર્પ, સંગ્રામ, મહાસાગર, જલોદર અને બંધનથકી ઉત્પન્ન થયેલ ભય, બીકે કરીને જેમ હોય તેમ શીઘ નાશ પામે છે. અર્થાત્ તમારા સ્તોત્રના પઠનથકી ઉપર કહેલા આઠ જાતના ભયો જાણે ભય પામ્યા હોય તેમ નાશ પામે છે. ૪૩.
સ્તોત્રમ્રજ તવ જિનેન્દ્ર ! ગુસૈનિબદ્ધ, ભકત્યા મયા રુચિર-વર્ણ-વિચિત્ર-પુષ્યામ; ધરે જનો ય ઈહ કાઠ-ગતા-મજગ્ન, તે માનતુંગ-મવશા સમુપૈતિ લમી. ૪૪.
અર્થ:- હે જિનેન્દ્ર ! મેં ભક્તિરૂપ રચનાવડે અને જ્ઞાનાદિ ગુણોરૂપ દોરા વડે ગુંથેલી (રચેલી) અને મનોહર અક્ષરરૂપચિત્રવિચિત્રપુષ્પોવાળી તમારા સ્તોત્રરૂપ માળાને જે પુરુષ આ લોકને વિષે નિરંતર કંઠને વિષે ધારણ કરે છે (ગણે છે) તે માનવડે ઉન્નત પુરુષ (અથવા માનતુંગસૂરિ)ને અસ્વતંત્ર (પોતાને તાબે રહેનારી) લક્ષમી પ્રાપ્ત થાય છે. અર્થાત્ તમારા સ્તોત્રને નિરંતર ગણનારાને તાબેદાર લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ૪૪.
ઇતિ ભક્તામર સ્તોત્ર સમાપ્તમુ. ૧. રાજય, સ્વર્ગાપવર્ગ અને સત્કાવ્ય કરવાની શક્તિરૂપ અહિં જિનેશ્વરના સ્તોત્રને પુષ્પની માળાની ઉપમા આપી છે. ભગવંતના ગુણરૂપ દોરો, ભક્તિરૂપ રચના અને જુદા જુદા અક્ષરો રૂપ રંગબેરંગી પુષ્પો જાણવાં. આ સ્તોત્રમાં છેવટે પુષ્પમાળા શબ્દ વાપર્યો છે તે મહા-આનંદનો હેતુ છે અને લક્ષ્મી શબ્દ મંગળવાચી છે, તેથી કરીને આ સ્તોત્રને ભણનારા, સાંભળનારા અને તેનું વ્યાખ્યાન કરનારા પુરુષોને કલ્યાણની પરંપરા થાય છે, એવો ભાવ સૂચવે છે.