________________
૩૪૭ તુલ્યું નમસ્ત્રિજગત: પરમેશ્વરાય, તુલ્યું નમો જિન! ભવોદધિ-શોષણાય. ર૬.
અર્થ:- હે નાથ ! ત્રણ ભુવનની પીડાને હરનાર તમોને નમસ્કાર હો. પૃથ્વીતળને વિષે નિર્મળ ભૂષણ (અલંકાર) રૂપ તમોને નમસ્કાર હો. ત્રણ જગતના પરમેશ્વર એવા તમોને નમસ્કાર હો. અને તે જિન ! ભવ (ચાર ગતિના ભ્રમણરૂપ) સમુદ્રને શોષણ કરનારા તમોને નમસ્કાર હો. ૨૬.
નિંદા-સ્તુતિ કો વિસ્મયોડત્ર યદિ નામ ગુણેરશેષે-,
સ્વં સંશ્રિતો નિરવકાશયા મુનીશ!, દો-રૂપાત્ત વિવિધાશ્રય-જાત-ગર્વેદ, “સ્વપ્રાંતરેડપિ ન કદાચિ-દપીક્ષિતોડસિ. ર૭.
અર્થ:- હે મુનીશ ! (મુનિઓના ઈશ્વર) સમસ્ત ગુણો વડે તમે નિરંતરપણે રૂડા પ્રકારે આશ્રય કરાયેલા છો; એમાં શું આશ્ચર્ય છે? કેમ કે ગ્રહણ કરેલા વિવિધ આશ્રયો વડે ઉત્પન્ન થયો છે ગર્વ જેને એવા દોષો વડે તમે સ્વપ્રાંતરમાં ક્યારે પણ
૧. કોમળ આમંત્રણમાં વપરાય છે. ૨. અન્ય દેવને વિષે સ્થાન નહિ મળવાથી સ્થાન રહિતપણાનડે એટલે અંતર રહિતપણે, ગુણો તમોને જ આશ્રય કરી રહ્યા છે. ૩. કામ-ક્રોધાદિ. ૪. ગ્રહણ કર્યા જે જાતજાતના (અન્ય દેવના) આશ્રયો (સ્થાનો) તે વડે ઉત્પન્ન થયો છે અહંકાર જેને એવા દોષો. અર્થાત્ અન્ય દેવને વિષે રહેવાનો આશ્રય મળવાથી દોષોએ તમને સ્વમાંતરમાં પણ જોયા નથી. કેમકે ઇચ્છિત સ્થાન મળવાથી બીજાની વાંછા રહેતી નથી. ૫. એક સ્વપ્રમાં બીજું સ્વમ આવે તે.