________________
ઉપર પાદૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્ર! પત્ત, પદ્માનિ તત્ર વિબુધાઃ પરિકલ્પત્તિ. ૩૨.
અર્થ :- હે જિનેન્દ્ર ! વિકસ્વર થયેલા સુવર્ણના નવ (અથવા નવન) કમળના સમૂહની કાન્તિવડે ચારે તરફ ઉછળતાં નખનાં કિરણોની પંક્તિવડે મનોહર એવા તમારાં બે ચરણો
જ્યારે ગમનસ્થાનને ધારણ કરે છે (ચરણન્યાસ કરે છે - જાય છે) ત્યાં દેવતાઓ કમળોને રચે છે. ૩૨.
અતિશય લક્ષ્મીનું વર્ણન. ઇન્ધ યથા તવ વિભૂતિરભૂજિનેન્દ્ર !, ધર્મોપદેશન-વિધી ન તથા પરસ્ય; યાદક પ્રભા દિનકૃતઃ પ્રહતાંધકારા, તાદફક્તો ગ્રહ-ગણમ્ય વિકાશિનોડપિ. ૩૩.
અર્થ:- હે જિનેન્દ્ર ! ધર્મના વિધિમાં (ધર્મ-વ્યાખ્યાન કરતી વખતે) એ પૂર્વોક્ત પ્રકારની તમારી અતિશયરૂપ સંપદા જે પ્રકારે હોતી હવી, તે પ્રકારે અન્ય દેવોની સંપદા ન હોતી, કેમકે પ્રકર્ષે
૧. તીર્થંકરદેવ જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં તેમના ચરણ કમળ નીચે દેવતાઓ નવ કમળ વખતોવખત પરાવર્તન કરીને રચે છે. બે ચરણ નીચે બે કમળ રહે છે અને સાત કમળ પાછળ ચાલે છે ભગવંત ચરણ ઉપાડે એટલે તેમાંથી બે કમળ દેવતાઓ આગળ સ્થાપે છે કમળ એનાં એ હોય છે પણ દેવતાઓ તેનું પરાવર્તન કરે છે. એટલે નવીન જણાય છે અહીં કમળનો વર્ણ પીળો અને ભગવંતના નખની કાન્તિ રક્ત (રાતી) છે, તેથી બંનેના મેળાપથી ચરણ કમળનો વિચિત્ર વર્ણ થાય છે, એમ કહ્યું છે. ૨. દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધારી રાખે તે ધર્મ.
૩. અન્ય હરિ-હરાદિ દેવોમાં સરાગપણું હોવાથી ચોત્રીશ અતિશય અને આઠ પ્રાતિહાર્યરૂપી લક્ષ્મી તેમને હોતી નથી.