________________
૩૧૩
સાંભળનારી સભા) પણ મારા ઉપર અનુગ્રહ (કહેલ સ્તવનના ગુણનું ગ્રહણ અને દોષના ત્યાગરૂપ મહેરબાની) કરો. ૩૬.
અંત્ય મંગલાચરણ તમોએઅિ નંદિ, પાવેઉ અનંદિસેણમભિનંદિ આ પરિસાવિ અ સુહનંદિ, મમ ય દિસઉ સંજમેનંદિ ૩૭ગાહા.
અર્થ :- યુગલ ભવ્યજનોને હર્ષ કરાવો અને સમૃદ્ધિ પ્રાપ્ત કરાવો અને નંદિષણને સમસ્ત પ્રકારે આનંદ પ્રાપ્ત કરાવો. શ્રોતાજનોની સભાને પણ સુખસમૃદ્ધિ આપો તથા મને સંયમને વિષે આનંદ આપો. ૩૭.
પખિએ ચાઉમ્માસિઅ, સંવચ્છરિએ અવસ્ય ભણિઅવ્વો; સોઅવ્વો સવૅહિં, ઉવસગ્ગ નિવારણો એસો . ૩૮ .
૧. આ નંદિષેણ મુનિ શ્રેણિકના પુત્ર કે બીજા કોઈ મહર્ષિ છે તેનો બરાબર નિર્ણય થતો નથી. કેટલાક વળી એમ કહે છે કે શ્રી શત્રુંજયની ગુફામાં શ્રી અજિતનાથ અને શાન્તિનાથ વર્ષાઋતુમાં રહેલા હતા તે જગ્યાએ અનુપમ સરોવરની સમીપે અજિતનાથનું ચૈત્ય હતું અને મરુદેવી ટુંકની પાસે શાન્તિનાથનું ચૈત્ય હતું. ત્યાં શ્રી નેમિનાથજીના ગણધર નંદિષેણજીએ અજિતશાન્તિ સ્તવનની રચના કરી તેથી તે બંને ચૈત્યો પૂર્વાભિમુખ થયાં. મૂળ ગ્રંથકારે અહીં સુધી રચના કરી છે. તેમાં ૩૭ ગાથા અને ૨૪૨૪ અક્ષરો આવે છે. બાકીની ગાથાઓ અન્યની કરેલી છે. ૨. સંવચ્છ રાઈએ આ દિઅહે ઇતિ પાઠાંતરમુ.
૩. આ સ્તવન એક જ જણે ભણવાનું કહ્યું છે. તેનું કારણ એ કે એક સાથે ઘણાના બોલવાથી કોલાહલ થાય, તેથી સર્વને ઉપયોગપૂર્વક સંભળાય નહિ તેથી એક સાથે બોલવાની પદ્ધતિ ઉચિત નથી.