________________
૩૨૨ ૭. ભક્તામર સ્તોત્ર
શબ્દાર્થ ભક્તામર ભક્તિમંત દેવતાઓના. | યુગાદ - યુગની આદિમાં. પ્રણતમૌલિ- નમેલા મુકુટને વિષે રહેલ. | આલંબન - આધારભૂત. મણિપ્રભાણામુ -મણિઓની | ભવજલે - ભવસમુદ્રમાં.
- કાન્તિઓને. | પતતાં પડતા. ઉદ્યોતક - પ્રકાશ કરનાર. | જનાનાં - ભવ્યજનોને. દલિત પાપ-દલન કર્યો છે પાપરૂપ. | ય: - જે ભગવંત. તમોવિતાનં - અંધકારનો સમૂહ | સંસ્તુત -રૂડે પ્રકારે સ્તુતિ કરાયેલા છે.
જેણે એવા. | સકલવામય-સમસ્ત શાસ્ત્ર સંબંધી. સમ્યક - રૂડે પ્રકારે. તત્ત્વબોધાત્ રહસ્યના બોધથકી. જિનપાદયુગે - તીર્થંકરના ચરણ | ઉદ્ભુતબુદ્ધિ - ઉત્પન્ન થયેલી યુગલને. |
બુદ્ધિવડે. * આ ભક્તામર સ્તોત્ર લઘુશાન્તિના કર્તા શ્રી માનદેવસૂરિની પાટે આવેલા શ્રી માનતુંગસૂરિએ રચ્યું છે. સ્તોત્ર રચવાનો હેતુ આ પ્રમાણે જાણવો-શ્રી માલવ દેશમાં ઉજ્જયિની નગરીમાં શ્રી વૃદ્ધભોજ નામે રાજાની સભામાં મયૂર અને બાણ પ્રમુખ ચૌદ વિદ્યામાં પ્રવીણ અને ન્યાય, વેદાંત, મીમાંસા, સાંખ્ય, વૈશેષિક, પાતંજલી વગેરે ષટ્શાસ્ત્રના જાણ, દેવતાના સાન્નિધ્યવાળા અને ગર્વિષ્ઠ એવા પાંચસો પંડિતો હતા. એકદા મયૂર પંડિત પોતાની પુત્રી જે બાણ પંડિતને પરણાવી હતી, તેના ઘર પાસેથી જતાં તે દંપતીનો માંહોમાંહે થતો કલહ સાંભળીને મર્મમાં હાંસી કરી. તેથી તેની પુત્રીએ તેને શ્રાપ આપ્યો. પુત્રીના શ્રાપથી મયૂર કુછી થયો. પછી તેણે સો કાવ્યવડે સ્તુતિ કરી સૂર્યદેવને પ્રસન્ન કર્યા. સૂર્ય પ્રત્યક્ષ થઈ તેનો કોઢ મટાડ્યો. તેથી તેની ખ્યાતિ થઈ, તેથી બાણ પંડિતે ઈષ્યને લીધે પોતાના હાથ-પગ કાપીને સો કાવ્ય વડે ચંડીદેવીને પ્રસન્ન કરી, ચંડીએ પ્રત્યક્ષ થઈ તેના હાથ-પગ નવા કર્યા; તેથી તેની પણ વિશેષ ખ્યાતિ થઈ. આવા ચમત્કારથી લોકો શિવધર્મની પ્રશંસા કરવા લાગ્યા અને જૈનધર્મની નિંદા કરવા લાગ્યા કે જૈનીઓ ઉદરનિર્વાહ પૂરતી કષ્ટક્રિયા કરે છે, પણ કોઈ