________________
૩૨૯ અલ્પશ્રુતં શ્રુતવતાં પરિહાસ-ધામ, ત્વદ્ભક્તિરેવ મુખરી-કુરુતે બલાત્મા; યસ્કોકિલઃ કિલ મધૌ મધુરં વિરૌતિ, તચ્ચારુચૂત-કલિકા-નિકરેક-હેતુ . ૬.
અર્થ - અલ્પશાસ્ત્રના બોધવાળા અને બહુશ્રુત (ઘણા શાસ્ત્રને જાણનારા પંડિતો)ને હાસ્યનું સ્થાન એવા મને તમારી ભક્તિ જ બલાત્કારથી વાચાળ કરે છે. જે કારણ માટે કોયલ નિશ્ચે ચૈત્રમાસ (વસંત ઋતુ)માં મધુર શબ્દ બોલે છે, તેનો મનોહર આપ્રકલિકાનો સમૂહ તે જ એક હેતુ (કારણ) છે, અર્થાત્ જેમ આંબાનો મોર (કોર) ખાવાથી કોયલ મધુર સ્વરે બોલે છે, તેમ હું તમારી ભક્તિરૂપ શક્તિ વડે સ્તોત્ર કરીશ. ૬.
સ્તવના કરવાથી થતો લાભ વત્સસ્તવેન ભવ-સંતતિ-સન્નિબદ્ધ, પાપં ક્ષણાત્ ક્ષયમુપૈતિ શરીર-ભાજામ્; આક્રાંત-લોકમલિ-નીલ-મશેષ-માશુ, સૂર્યાસુ-ભિન્નમિવ શાર્વર-મધકારમ્. ૭.
અર્થ - હે ભગવંત! તમારા રૂડા સ્તોત્રવડે (ગુણવર્ણન વડે) દેહધારીઓ (પ્રાણીઓ)નું સંસારની પરંપરા વડે બંધાયેલ પાપ (અશુભ કર્મ), જેમ વ્યાપ્ત થયેલ છે લોક જેનાથી એવો (લોકમાં વ્યાપી રહેલો) અને ભ્રમર જેવો કાળો, કૃષ્ણપક્ષની રાત્રિ સંબંધી સમસ્ત અંધકાર, શીધ્ર સૂર્યના કિરણો વડે નાશ પામે છે, તેમ ક્ષણવારમાં ક્ષયને પામે છે. ૭.