________________
૩૩૫
છે ત્રણ જગતની ઉપમા (કમળ, ચંદ્ર દર્પણ આદિ પદાર્થોની) જેણે એવું તમારું મુખ ક્યાં ? અને લાંછન કલંકવડે મલિન (ગ્લાનિ પામેલું) તથા જે દિવસે પીળા ખાખરાના પાન સરખું (નિસ્તેજ) થાય છે એવું ચંદ્રમાનું બિંબ ક્યાં ? અર્થાત્ ચંદ્રબિંબ કરતાં ભગવંતના મુખનું તેજ અત્યંત નિર્મળ છે. માટે તે ઉપમા સંભવે નહિ. ૧૩.
સંપૂર્ણ-મંડલ-શશાંક-કલા-કલાપશુભ્રા ગુણા-ત્રિભુવનં તવ લંઘયંતિ; યે સંશ્રિતા-સ્ત્રિજગદીશ્વર ! નાથમેકં, કસ્તાન્નિ-વારયતિ સંચરતો યથેષ્ટમ્. ૧૪. અર્થ :- :- ત્રણ જગતના ઈશ્વર ! સંપૂર્ણ મંડળવાળા પૂર્ણિમાના ચંદ્રની કળાના સમૂહ સરખા ઉજ્જ્વળ એવા તમારા ગુણો ત્રણ ભુવનને ઉલ્લંઘન કરે છે (ત્રણ ભુવનને વ્યાપીને રહેલા છે.) કેમ કે જે એક (અદ્વિતીય-સમર્થ) નાથને આશ્રય કરીને રહેલા છે, તેને સ્વેચ્છાએ વિચરતા કોણ નિવારણ કરી શકે ? અર્થાત્ ત્રણે ભુવન ભગવંતના ગુણ ગ્રહણ કરવામાં તત્પર હોય છે. ૧૪. ચિત્રં કિમત્ર યદિ તે ત્રિદશાંગનાભિનીતં મનાગપિ મનો ન વિકાર-માર્ગમ્; કલ્પાંતકાલ-મરુતા ચલિતા-ચલેન,
કિં મંદરાદ્રિ-શિખર ચલિત કદાચિત્. ૧૫. અર્થ :- હે દેવ ! દેવાંગનાઓ વડે તમારૂં મન જરા પણ
:
વિકારની ચેષ્ટાને પામ્યું નથી તેમાં શું આશ્ચર્ય છે ? કેમ કે કંપાયમાન થયા છે અન્ય પર્વતો જેનાથી એવા પ્રલયકાળના