________________
૩૩૪ ભગવંતના રૂપનું વર્ણન. વૈઃ શાન્તરાગ-રુચિભિઃ પરમાણુભિવં, નિર્માપિતસ્ત્રિભુવનેકલલામ ભૂત !; તાવંત એવ ખલુ તેડપ્યણવઃ પૃથિવ્યાં, યત્તે સમાન-મપર ન હિ રૂપમસ્તિ. ૧૨.
અર્થ - હે ત્રણ ભુવનને વિષે અદ્વિતીય તિલક (આભરણ) સમાન ! શાન્તરસના ભાવની છાયાવાળા જે પરમાણુઓ વડે તમે નિર્માણ કરાયેલા છો, તે પરમાણુઓ જગતમાં નિશે તેટલા જ છે. જે કારણ માટે તમારા સમાન બીજું કોઈ (રૂપ આ જગતમાં) નિશ્ચ નથી. ૧૨.
ભગવંતના મુખનું વર્ણન વત્ર કવ તે સુર-નરોરગ-નેત્રહારિ, નિઃશેષ-નિર્જિત-જગત્રિયોપમાન; બિંબ કલંક-મલિન અફવ નિશાકરસ્ય, યાસરે ભવતિ “પાંડુ-પલાશ-કલ્પમ્. ૧૩.
અર્થઃ-દેવ, મનુષ્ય અને ભવનપતિ (નાગકુમાર) દેવના નેત્રને હરણ કરનારું (મોહ પમાડનારું) તથા સમસ્ત પ્રકારે જીતી ૧. “શાન્ત થઈ છે રાગની છાયા (ઈચ્છારૂપ મોહનીય કર્મ) જે થકી
એવા” એવો અર્થ પણ થાય છે. ૨. જેની સાથે વિશેષ પ્રીતિ હોય તેને એક વચને બોલાવાય છે. ૩. મસ્તકે ધારણ કરેલી પુષ્પની માળા અથવા તિલક તે લલામ. ૪. બે વસ્તુનો મુકાબલો કરવામાં કવ શબ્દ મોટું અંતર સૂચવનારો છે. ૫. ખાખરાનું પાન પાકવાથી પીળું પડી જાય છે તેના જેવું નિસ્તેજ-ફીકું.