________________
૩૪૪
યોગીશ્વર વિદિતયોગ-મનેક-મેકં, જ્ઞાનસ્વરૂપ-મમલં પ્રવદન્તિ સંતઃ. ૨૪.
અર્થ :- હે પ્રભુ ! સંત (સાધુ-સજ્જન) પુરુષો તમોને અવ્યય (નાશ ન પામે તેવા), વિભુ (પરમ ઐશ્વર્ય વડે શોભતાકર્મનું ઉન્મૂલન કરવામાં સમર્થ), અચિત્ત્વ (અચિત્ત્વ ગુણવાળા અથવા આધ્યાત્મિક પુરુષો વડે કરી પણ ચિંતવન થઈ ન શકે એવું સ્વરૂપ છે જેનું એવા), અસંખ્ય ગુણવાળા, આદ્ય (પહેલા તીર્થંકર અથવા લોકવ્યવહારરૂપ સૃષ્ટિની શરૂઆત કરનાર અથવા પંચ પરમેષ્ઠિને વિષે આદ્ય), બ્રહ્મ સ્વરૂપ (પરમાનંદ સ્વરૂપ, નિવૃત્તિરૂપ), ઈશ્વર (દેવના દેવ), અનંત (અનંત જ્ઞાન-દર્શનવાળા અથવા મૃત્યુરૂપ અંત વિનાના), અનંગકેતુ (કામદેવનો નાશ કરવાને પૂંછડીયા તારા જેવા અથવા અંગ-ઔદારિકાદિ શરીર તે રૂપ કેતુ-ચિહ્ન જેને નથી તેવા), યોગીઓના ઈશ્વર (ચાર-જ્ઞાની મુનિઓ અથવા ધ્યાની પુરુષોના ઈશ્વર). યોગ, (જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપને જાણનાર અથવા જણાયો છે અષ્ટાંગ યોગ જેનાથી એવા), અનેક (જ્ઞાને કરીને સર્વવ્યાપક હોવાથી અનેક અથવા અનેક પર્યાયવાળા), અદ્વિતીય (સર્વોત્તમ), જ્ઞાનસ્વરૂપ (કેવળજ્ઞાનરૂપ સ્વરૂપ છે જેનું એવા) અને નિર્મળ (અઢાર દોષરહિત) એવા કહે છે. ૨૪. બુદ્ધસ્ત્વમેવ વિબુધાર્ચિત-બુદ્ધિ-બોધાત, ત્ર્યં શંકરોડસિ ભુવનત્રય-શંકરત્વાત્;
૧. વિ=વિશેષ પ્રકારે, દિત=ખંડન કર્યો છે. યોગ=કર્મનો સંબંધ જેણે એવા. એવો પણ અર્થ થાય છે.
૨. તત્ત્વને જાણે તે બુદ્ધ. ૩. સુખને કરે તે શંકર.