________________
૩૧૪ અર્થ -પખી પ્રતિક્રમણને વિષે, ચૌમાસી પ્રતિક્રમણને વિષે અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણને વિષે (એક જણે આ સ્તોત્ર, અવશ્ય ભણવું અને સર્વ જનોએ સાંભળવું. એ સ્તવન વિદનનું નિવારણ કરનાર છે. ૩૮.
જો પઢઈ જ અ નિસુણઈ, ઉભો કાલપિ અજિઅસંતિથયા નહુ હુતિ તસ્સ “રોગા, પુલ્વપ્નન્ના વિ નાસંતિ. ૩૯
અર્થ - અજિતશાન્તિ સ્તવનને જે પુરુષ બંને વખત પણ (ઉપલક્ષણથી સવાર, બપોર અને સાંજ) ભણે છે અને જે સાવધાનપણે સાંભળે છે તેને રોગો હોતા નથી. તેમજ, પૂર્વ થયેલા (રોગો) પણ નાશ પામે છે.
જઈ ઇચ્છહ પરમપયં, અહવા કિર્તિ સુવિત્થડે ભુવણે, તા તેલુદ્ધરણે, જિણવયણે આયર કુણહ. ૪0ોર
અર્થ :- જો તમે મોક્ષપદને વાંચ્છતા હો અથવા ત્રણ ભુવનમાં વિસ્તાર પામેલી કીર્તિ ઈચ્છતા હો તો ત્રણ લોકનો ઉદ્ધાર કરનારા જિનવચનને વિષે આદર કરો. ૪૦.
આ અજિતશાંતિ સ્તોત્રમાં વપરાયેલા છંદો પ્રાકૃત છંદશાસ્ત્રને અનુસારે પેજ નં. ૩૧પના મથાળે આપવામાં આવેલ છે. ૧. કાસ, શ્વાસ, ભગંદર કોઢ વગેરે રોગો અથવા સર્વ પ્રકારની પીડાઓ. ૨. આ ૪૦ ગાથા પ્રસિદ્ધ છે, તે સર્વત્ર બોલાય છે, તે સિવાય બીજી બે ગાથાઓ પણ જોવામાં આવે છે; તે પેજ નં.૩૧૫ ની નીચે છે.