________________
૩૦૮ અને વંદન કરાયેલા. તે પછી દેવીઓ વડે સાવધાનપણે પ્રણામ કરાયેલા અને મોક્ષ આપવાને શક્તિમાન હોવાથી જગતને વિષે ઉત્તમ છે શાસન (આશા) જેમનું એવા જે ભગવંત તેમનાં રૂડા પરાક્રમવાળાં તે બે ચરણકમળો ભક્તિના વિશે આવવાથી એકત્ર થયેલી, ઘણા નર્તકવાદ શ્રેષ્ઠ દેવ અને નૃત્યકુશળ દેવાંગનાઓ વડે યુક્ત તથા દેવોની સાથે શ્રેષ્ઠરતિક્રીડારૂપ ગુણને વિષે પંડિતા (ડાહી) એવી વિનર્તકીઓવડે વેણુધ્વનિ (વાંસળીનો નાદ) વીણા અને ચપટી, પટાદિ તાલ (અથવા કાંતિ, કરતાલ વગેરેના તાલ) મળે છતે ત્રિપુષ્કરનામા વાજિંત્રના મનોહર શબ્દવડે મિશ્રિત કર્યો છતે, સાંભળવાનું સમાનપણું કર્યું છતે (સર્વ શબ્દ સાંભળવામાં કાનનું સાવધાનપણું-એકાગ્રતા), શુદ્ધ તથા અધિક ગુણવાળા ગીત વડે સહિત એવી પગને વિષે જાળના આકારવાળી ઘુઘરીઓ વડે ઉપલક્ષિત છત, વલય (બલૈયાં), કંદોરો, કલાપ (એક જાતનું આભરણ) અને ઝાંઝરના મનોહર શબ્દવડે મિશ્રિત કર્યો છd, હાવભાવ અને વિકાસના પ્રકારવાળા અંગના વિક્ષેપ કરીને નૃત્ય કરીને વંદાયેલા છે જે, તે ત્રણ ભુવનના સર્વપ્રાણીઓને શાન્તિના કરનાર (અથવા મોક્ષને આપનાર) અને વિશેષે શાન્ત થયાં છે સર્વ પાપ (અશુભ કર્મ) તથા દોષ (રાગ, દ્વેષ, મોહ વગેરે) જેમનાં (અથવા જેથી) એવા ઉત્તમ શાન્તિનાથ જિનને આ પ્રત્યક્ષ એવો હું નમસ્કાર કરું છું. ૩૦-૩૧.
શ્રી અજિતનાથ અને શાન્તિનાથની સ્તુતિ છત્ત-ચામર-પડાગ જુઅર જવમંડિઆ, 3ઝય-વરમગ૨-૨ય-સિરિ વચ્છ
૧. નાની ધ્વજા. ૨. યજ્ઞસ્થંભ ૩. સિંહાદિના ચિત્રવાળો મોટો ધ્વજ.
૪. ઉત્તમ પુરુષના વક્ષ:સ્થળ (છાતી)માં આ લક્ષણ હોય છે કોઈને પગમાં પણ હોવાનો સંભવ છે.