________________
૩૦૦
તં મહામુણિમહંપિ પંજલી, રાગદોસભય-મોહવજ્જિયં | દેવદાણવ-નરિંદવંદિઅં, સંતિ-મુત્તમં મહાતવું નમે ॥ ૨૫ ॥ ખિત્તયં
:
અર્થ :- શ્રેષ્ઠ, વિમાન, મનોહર સુવર્ણમય રથ અને અશ્વના સેંકડો સમૂહવડે કરી શીઘ્ર આવેલા, ઉતાવળે આકાશ થકી ઉતરવાવડે ક્ષુભિત ચિત્તવાળા છતે ડોલતા, ચંચળ કુંડળ, બાજુબંધ અને મુકુટ તથા શોભતી છે મસ્તકની માળા જેમની એવા; વળી અસુરના સમૂહે કરી સહિત, વૈરરહિત, ભક્તિએ કરી સહિત (અથવા મસ્તિસંયુત્તા ભક્તિને વિષે સારી રીતે પ્રેરાયેલા) આદર વડે શોભિત, ઉતાવળે એકત્ર થયેલ અને અતિશય વિસ્મિત થયેલ છે સર્વ જાતનાં કટ (સૈન્ય) સમૂહ જેમનાં એવા, શ્રેષ્ઠ સુવર્ણ અને રત્નવડે વિશેષ રૂપયુક્ત કરેલા દેદીપ્યમાન આભૂષણો વડે શોભાયમાન છે અંગો જેમનાં એવા, શરીરવડે નમેલા, ભક્તિને લીધે આવેલા અને અંજલી પૂર્વક કર્યો છે મસ્તકવડે પ્રણામ જેણે એવા દેવસમુદાયે; જે ભગવંતને વાંદીને (નમન કરીને) અને તે વાર પછી વાણીવડે સ્તુતિ કરીને ત્યારપછી ત્રણ વાર પ્રદક્ષિણા કરીને ફરીને જિનને પ્રણામ કરીને દેવ-દાનવ આનંદિત થયા થકા ત્યાંથી પોતાના ભવન પ્રત્યે પાછા ગયા; મહામુનિઓ છે શિષ્ય જેમના એવા, રાગ, દ્વેષ, ભય અને મોહથી રહિત, દેવ, દાનવ અને રાજાઓ વડે વંદાયેલા, શ્રેષ્ઠ અને વિશાળ તપવાળા એવા તે શાન્તિનાથને; અંજલી કરી છે જેણે એવો હું નમસ્કાર કરું છું. ૨૨-૨૩-૨૪-૨૫.