________________
૨૭૧ અર્થ -પાર્ષજિનના નામનું રૂડા પ્રકારે (વિશુદ્ધ શ્રદ્ધા વડે) ઉચ્ચારણ કરવા વડે રોગ, જળ, અગ્નિ, સર્પ, ચોર, શત્રુ, સિંહ, હાથી, અને સંગ્રામથી ઉત્પન્ન થયેલા સર્વ ભયો અત્યંત શાન્ત થાય છે. અર્થાત્ ફરી ક્યારે પણ ઉત્પન્ન થતા નથી. (ૐ હ્રીંનમિઉણ પાસ વિસહર વસહ કુલિંગ હીં રોગજલજલણ વિસહરચોરારિમઈદગયરણભયાઈ... પસંમંતિ મમ* સ્વાહા. આ મહામંત્ર આ સ્તવનની અંદર વેરાયેલા અક્ષરોથી બનેલો છે.) ૧૮.
ઉપસંહાર-સ્તોત્ર-માહાભ્ય એવું મહા-ભયહર, પાસ-જિણિંદસ્ય સંથવ-મુઆર "ભવિય-જણાણંદયર, કલ્યાણ-પરંપર-નિહાણ II ૧૯ો
રાયભય-જખ-રખસ,-કુસુમિણદુસ-ઉણ-
રિખ-પીડાસુ ને સંઝાસુ દોસુ પંથે, ઉવસગ્ગ ત ય રયણાસુ ૨૦ ||
* મમ વાયુ શબ્દ પવનબીજ છૂટક છે. સ્વ: આકાશ શબ્દ આકાશબીજ અને હા એ છૂટક છે. વસહ પણ બીજી ગાથામાં વેરાયેલ છે. બીજા અક્ષરો પહેલી અને આ ગાળામાં સ્પષ્ટ છે.
૧. અહીં ભવ્યની પાસે જનશબ્દ ન મૂક્યો હોત તો પણ એજ અર્થ કરી શકાત પરંતુ અવ્યવહાર રાશિરૂપ નિગોદને વિષે રહેલા ભવ્યજીવોને આનંદકારી થવાનો સંભવ નથી માટે તે બાબત સ્ફટ કરવાને માટે જન શબ્દ લીધો છે. તેથી વ્યવહાર રાશિવાળા જીવો, એમ અર્થ કરવો. અહીં પણ વિભાજન કરીને બીજો પણ અર્થ થાય છે તે આ પ્રમાણે ભવિયજણાણ ભવ્યજનોને કલ્યાણપરં-કલ્યાણકારક અને પરનિહાણે શત્રુના કપટને - અંદર બાંધનારું અથવા શુદ્ર કર્મને અટકાવનારું આ સંસ્તવ (સ્તોત્ર) છે.