________________
૨૮૯ અર્થ - કુરુ દેશને વિષે હસ્તિનાપુર નગરના પ્રથમ રાજા હતા. તે વાર પછી મોટા ચક્રવર્તીના (છ ખંડના) રાજ્ય (ને વિષે વર્તતા હતા)ને ભોગવતા હતા. મોટો છે પ્રભાવ જેનો એવા (અથવા મહાત્મભાવ : ઉત્સવો વડે આત્માને પ્રીતિ કરનારા) જે ઘર વડે શ્રેષ્ઠ એવા બહોંતેર હજાર પ્રધાન નગરો, નિગમ અને દેશના સ્વામી (અથવા બહોંતેર હજાર નગર અને પ્રધાન વ્યાપારના સ્થાનોવાળાં ગામો છે જેને વિષે એવા દેશના સ્વામી અથવા બહોંતેર હજાર પ્રધાન નગર અને શહેરની પેઠે જન સમુદાયે સંકીર્ણ છે રસ્તાઓ જેને વિષે એવા દેશોના સ્વામી) બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓએ અનુસરણ કર્યો છે માર્ગ જેનો એવા. ચૌદ શ્રેષ્ઠ રત્ન; નવ મહાનિધાન અને ચોસઠ હજાર શ્રેષ્ઠ સ્ત્રીઓના સુંદર ભતર, ચોરાશી લાખ ઘોડા (અઢાર ક્રોડ ઘોડા પણ કહેલા છે), ચોરાશી લાખ હાથી અને ચોરાશી લાખ રથના સ્વામી, છન્ન ક્રોડ ગામના સ્વામી એવા જે ભગવાન ભરતક્ષેત્રને વિષે હતા, તે ઉપશમરૂપશાન્તિને કરનારા (મોક્ષને આપનારા), રૂડે પ્રકારે તર્યા છે સર્વ ભય (મૃત્યુ) થકી એવા (અથવા રૂડે પ્રકારે તર્યા છે; સર્વ ભય જેના થકી એવા) શાન્તિનાથ જિનને શાન્તિ કરવાને માટે હું સ્તવું છું અથવા પૂર્વોક્ત શાન્તિનાથ જિનને સ્તવું છું. તે ભગવાન મુજને શાન્તિ કરો. ૧૧-૧૨.
શ્રી અજિતજિન સ્તુતિ ઇફખાગ! વિદેહ નરીસર, નરવસહા મુણિવસતા; નવસારય-સસિસકલાણ
૧. મુસિવસહાનવ એ પ્રકારે પદ લઈએ ત્યારે મુનિપસભાનવ-ઈન્દ્રોની સભાને વિષે સ્તુતિ થાય છે જેની એવા - આવો અર્થ થાય છે.
૨. સકલ શબ્દનો અર્થ પૂર્ણ લઈએ ત્યારે ચંદ્રનું વિશેષણ લેવું પડે તે વિશેષણની પહેલાં આવવું જોઈએ, પણ પ્રાકૃતને લીધે પર નિપાત થાય છે.
૧૯