________________
૨૭૬
સવૅગયપાવં; જયગુરૂ સંતિગુણકરે, દોવિ જિણવરે પરિવયામિ./ ૧ / ગાહા.
અર્થ - જિત્યા છે સર્વભય જેમણે એવા અજિતનાથ અને વિશેષ શાન્ત કર્યા છે સર્વ રોગ અને પાપ જેમણે (અથવા વિશેષ શાન થયે છતે ક્ષય થયાં છે અશુભ કર્મ જેમનાં) એવા શાન્તિનાથ વળી જગતના ગુરુ (અથવા જગતને વિષે મોટા) અને શાનરૂપ ગુણને કરનારા (અથવા શાન્તિ એટલે કષાયનો અભાવ અને ગુણ એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર તેને કરનારા) તે બંને જિનેશ્વરોને હું પ્રણામ કરું છું. ૧.
વવગયમંગલભાવે, તે હં વિલિતવનિમલસતાવે; નિરુવમમહમ્પ્રભાવે, થોસામિ સુદિટ્ટસન્માવે / ૨ / ગાહા.
અર્થ -નાશ થયો છે અશોભન (માઠો) ભાવ (પરિણામ) જેમનો એવા, વિસ્તીર્ણ (દ્વાદશવિધ) તપવડે નિર્મલ (નિષ્કર્મા) છે સ્વભાવ જેમનો એવા, નિરુપમ અને મહાન છે પ્રભાવ જેમનો એવા અને રૂડે પ્રકારે કેવળજ્ઞાન-દર્શનવડે યથાર્થપણે જાણ્યા છે વિદ્યમાન ભાવો (જીવાજીવાદિ સત્ પદાર્થો) જેમણે એવા તે બે (જિનો) ને હું (નંદિષેણ ગણિ) સ્તવીશ. ૨. સવદુખuસંતીખું, સવ્વપાવપ્પસંતિણું;
૧. પૃતિ તત્ત્વમ્ તિ ગુજઃ તત્ત્વોનો ઉપદેશ કરે તે ગુરૂ, અહીં પ્રાકૃત હોવાથી વિભક્તિનો લોપ થયો છે. પ્રાકૃત વ્યાકરણમાં દ્વિવચન નહીં હોવાથી છંદોમાં બહુવચનનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
૨. ચતુર્થીસ્થાને ષષ્ઠી, આર્ષ–ાદુ દીર્ધાભાવથ્ય.