________________
૯૫
અર્થ :- હે ક્ષમાશ્રમણ ! શક્તિએ સહિત (જીવ હિંસાદિક નિવૃત્તિરૂપ પ્રયોજનવાળા) મારા શરીરવડે (આપને) વાંદવાને ઈચ્છું છું. (ગુરુ વંદાવવાને સાવધાન હોય તો છંદેણ કહે.) અણુજાણહ, મે મિઉગ્ગહં ||૨||
ઃ
અર્થ :- મિતઅવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણ ક્ષેત્રમાં પ્રવેશ કરવાની)ની મને રજા આપો (ગુરુ કહે- અણુજાણામિ-હું આજ્ઞા આપું છું.)
નિસીહિ, અ-હો-કા-યં, કા-યસંફાસ ખમણિજ્જો મે કિલામો, અપ્પકિલંતાણં બહુસુભેણ ભે, દિવસો વઈક્યુંતો IIII
અર્થ :- પછી શિષ્ય, માત્ર ગુરુવંદન સિવાય અન્ય ક્રિયારૂપ વ્યાપાર નિષેધ્યો છે જેણે એવો શિષ્ય (અવગ્રહમાં પેસીને વિધિપૂર્વક બેસી, સાધુ ડાબા ઢીંચણ ઉપર અને શ્રાવક ચરવાળા ઉપર મુહપત્તિ મુકી બે હાથ લલાટે લગાડી, ગુરુના ચરણોને સ્પર્શવાને) આ પ્રમાણે કહે -
લગાડવા રૂપ) થાય છે. ‘કાય સંફાસ’ કહેતાં ફરી સ્વમસ્તક નમાડવું. એવી રીતે બીજીવાર વંદન કરતાં બે વખત મસ્તક નમાડવું. એમ સર્વ મળી ચાર વખત શિરનમન થાય છે. મન, વચન અને કાયાને અન્ય વ્યાપારથી નિવર્તાવી વંદન કરતી વખતે સારી રીતે ગોપવી રાખવા રૂપ ત્રણ ગુપ્તિ જાણવી. ‘અણુજાણહ મે મિઉગ્ગહં' કહી બંને વખત વંદના કરતાં ગુરુ-આજ્ઞા પામીને અવગ્રહમાં પ્રવેશ કરવો તે બે પ્રવેશ જાણવા અને પ્રથમ વંદન કરતી વખતે આવસ્તિઆએ કહીને અવગ્રહમાંથી બહાર નીકળવું તે એક નિષ્ક્રમણ સમજવું. એવી રીતે દ્વાદશાવર્ત વંદન કરતી વખતે પચીશ આવશ્યક સાચવવાં જ જોઈએ.