________________
૨૩૫
નવ સ્મરણો ૧. શ્રી નવકાર - પંચમંગલસૂત્રમ્)
'નમો અરિહંતાણં. ૧. નમો સિદ્ધાણં. ૨. નમો આયરિયાણં. ૩. નમો ઉવક્ઝાયાણં. ૪. નમો લોએ સવ્વસાહૂણં. ૫. એસો પંચ નમુક્કારો. ૬. સવ્વપાવપ્પણાસણો. ૭. મંગલાણં ચ સવ્વસિં. ૮. પઢમં હવઈ મંગલ. ૯.
ઇતિ નમસ્કાર સૂત્રમ્
૨. ઉવસગ્ગહરં સ્તવનમ્ ‘ઉવસગ્ગહર, પાસ પાસે વંદામિ કમ્મુ-ઘણમુક્ક વિસર-વિસ નિજ્ઞાસ, મંગલ-કલ્યાણ-આવાસં. ૧.
* પર્વ દિવસે સકલ શ્રેયને માટે અને શુદ્રોપદ્રવાદિ દોષ નિવારવા અને સુખશાન્તિને માટે ગણાય છે-સ્મરણ કરાય છે માટે સ્મરણ કહેવાય છે, પ્રતિષ્ઠા મહોત્સવાદિ ક્રિયાવિધાનમાં નમિઊણ અને કલ્યાણ મંદિર વિના સાત સ્મરણ ગણવામાં આવે છે. સપ્ત સ્મરણ ટીકાની લખેલ પ્રતોમાં લઘુશાન્તિનો પણ સમાવેશ કર્યો છે. તેથી લઘુશાન્તિ સ્મરણ તરીકે ગણીએ ત્યારે નવકારને માંગલિક તરીકે ગણવો.
૧. અહીં અરિહંતાણં (રાગ-દ્વેષ વગેરે શત્રુને હણનારા) અરહંતાણં (ઇન્દ્રાદિથી પૂજાને યોગ્ય) અને અરુહંતાણં (ફરી સંસાર મધ્યે જેને ઉત્પન્ન થવું નથી એવા) એમ ત્રણે પાઠ છે.
૨. આ પહેલું તથા બીજું સ્મરણ આગળ અર્થ સાથે આવી ગયેલ હોવાથી અહીં અર્થ લખ્યો નથી માટે ત્યાંથી જોઈ લેવા. (પેજ નં. ૮ થી ૧૫ પહેલું સ્મરણ તથા પેજ નં. ૫૯ થી ૬૩ બીજું સ્મરણ)