________________
૨૩૪ પરપરિવાદ, માયા-મૃષાવાદ, મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાનક કીધાં, કરાવ્યાં, અનુમોઘાં હોય; દિનકૃત્ય, પ્રતિક્રમણ, વિનય, વૈયાવચ્ચ ન કીધાં; અને જે કાંઈ વિતરાગની આજ્ઞા-વિરુદ્ધ કીધું, કરાવ્યું, અનુમોધું હોય,
એ *ચિહું પ્રકાર માંહિ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂમ, બાદર, જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ. ૧૭.
એવંકારે શ્રાવકતણે ધર્મે શ્રી સમકિતમૂલ બાર વ્રત, એકસો ચોવીશ અતિચારમાંહિ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ-બાદર, જાણતાંઅજાણતાં હુઓ હોય તે સવિ હુ મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. ઇતિ શ્રી શ્રાવક પખી, ચોમાસી, સંવચ્છરી
અતિચાર સમાપ્ત
* (૧) પ્રતિષિદ્ધ વસ્તુનું કરવું. (૨) કરવા યોગ્ય અનુષ્ઠાન નહિ કરવું. (૩) વીતરાગના વચનની અશ્રદ્ધા કરવી. (૪) વિપરીત પ્રરૂપણા કરવી એ ચાર.
૧. એ પૂર્વોક્ત પ્રકારે
૨. આ અતિચાર ચોમાસી અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણમાં પણ કહેવાય છે. તેથી જ્યાં જ્યાં પક્ષ દિવસ છે ત્યાં ત્યાં ચોમાસામાં ચોમાસી દિવસ અને સંવછરીમાં સંવચ્છરી દિવસ એમ કહેવું.