________________
૨૪૦ વાણી-તિહાણ-સામિણી,-સિરિદેવીજખરાયગણિપિડગા | ગહદિસિપાલસુરિંદા, સયાવિ રખંતુ જિણભજે || ૪ |
અર્થ:- શ્રુતદેવી ત્રિભુવન સ્વામિની, લક્ષ્મીદેવી અને યક્ષરાજ ગણિપિટક, ગ્રહ, દિપાળ અને દેવેંદ્રો જિનના ભક્તોનું સદાય રક્ષણ કરો ! ૪.
સોળ વિદ્યાદેવીઓ રખંતુ મમ રોહિણી, પન્નરી વજ્જસિંખલા ય સયા // વર્જકસિ ચકકેસરી નરદત્તા કાલિ મહાકાલી . પ ..
અર્થ -રોહિણી પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વજાંકુશી, ચકેશ્વરી, નરદત્તા, કાળી અને મહાકાળી, મારું (અને ઉપલક્ષણથી બીજાઓનું પણ નિરંતર સર્વ પ્રકારના ઉપદ્રવથી) રક્ષણ કરો. ૧.
૧. સૂરિમંત્ર પીઠપંચકની અધિષ્ઠાયિકાદેવી, તેનું ધ્યાન કરનારને સહાય કરનારી.
૨. દ્વાદશાંગીનો અધિષ્ઠાય દેવ, યક્ષો મધ્યે કાન્તિ વડે વિશેષ શોભે છે માટે તેને યક્ષરાજ કહેવાય છે.
૩. પુણ્ય બીજને ઉત્પન્ન કરે તે રોહિણી. પ્રકૃષ્ટ જ્ઞાન છે જેને વિષે તે પ્રજ્ઞપ્તિ, દુષ્ટને દમન કરવા માટે વજની પેઠે દુર્ભેદ્ય શૃંખલા છે જેના હાથમાં તે વજશૃંખલા, વજ અને અંકુશ એ અસ્ત્ર જેના હાથમાં છે તે વાંકુશી. હાથમાં નિરંતર ચક્રને ધારણ કરનારી તે ચક્રેશ્વરી, મનુષ્યને વરદાન વગેરે દેવાવાળી તે નરદત્તા, શ્યામ વર્ણવાળી અથવા શત્રુઓને વિષે કાળની ઉપમા છે જેને તે કાળી, ઘણા શ્યામવર્ણવાળી અને શત્રુઓને મહાકાળ સદિશ તે