________________
૨૫૭
(૩) વરકણય સંખવિદુમ-મરગય ઘણસન્નિ ં વિગયમોહં । સત્તરિસયં જિણાણું, સવ્વામર પૂઇઅં વંદે (સ્વાહા) ॥ ૧૧ ॥
અર્થ :- પ્રધાન સુવર્ણ, શંખ, પરવાળા, નીલમણિ અને મેઘ સરખા વર્ણવાળા એટલે પાંચે વર્ણવાળા, ગયો છે મોહ જેનો એવા અને સર્વ દેવો વડે પૂજિત એકસો સિત્તેર જિનના સમુદાયને હું વાંદું છું. (અહિં ‘ૐ પરમેષ્ઠીવાચક છે અને ‘સ્વાહા’ દેવોને બળીદાન આપતાં બોલાય છે.’) ૧૧.
(૩) ભવણવઇ વાણવંત, જોઇસવાસીવિમાણવાસી આ ।। જે કેવિ દુટ્ટદેવા, તે સવ્વ ઉવસમંતુ મમ સ્વાહા | ૧૨ ||
અર્થ :- ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક જે કોઈ પણ દુષ્ટ દેવતા (શાસનદ્વેષી) છે, તે સર્વે મને ઉપશાન્ત હો-મને વિઘ્ન ન કરો. ૧૨.
ચંદણકપૂરેણં, ફલએ લિહિઊણ ખાલિએં પીએં ॥ એગંતરાઇ-ગહ-ભૂઅ, સાઇણિ-મુગં-પણાસેઇ ।। ૧૩ ।।
૧. કેટલાએક અત્રે એમ કહે છે કે - કાંસ્યસ્થાલાદિમાં કપૂર, ગોરુચંદન, કેસર, ચંદન અને કસ્તૂરી વગેરેનો કર્દમ ક૨ીને સાત વખત લેપ કરવો, છાયામાં સૂકવી તેના ઉપર યંત્ર લખીને પુષ્પ, ધૂપાદિ વડે પૂજન કરી તેના ન્હવણનું પાણી પીવાથી રોગ જાય.
૧૭