________________
૨૧૬
ચારિત્રાચારે આઠ અતિચાર, પણિહાણ-જોગજુત્તો પંચહિં સમિઇહિં તીહિં ગુત્તીસિં; એસ ચરિત્તાયારો, અટ્ઠવિહો હોઇ નાયવ્યો. ૧. *ઇર્યા- સમિતિ તે અણજોયે હિંડયા. ભાષાસહિત તે સાવદ્યવચન બોલ્યા. એષણા સમિતિ તે તૃણ, ડગલ અન્ન પાણી અસૂઝતું લીધું. આદાનભંડમત્તનિખૈવણા સમિતિ તે આસન, શયન, ઉપકરણ, માતરૂં પ્રમુખ અણપુંજી જીવાકુલ ભૂમિકાએ મુક્યું લીધું. પારિષ્ઠાપનિકા સમિતિ તે મલ મૂત્ર શ્લેષ્માદિક અણપુંજી 'જીવાકુલ ભૂમિકાએ પરઠવ્યું. મનોગુપ્તિ મનમાં આર્ત-રૌદ્રધ્યાન ધ્યાયાં. વચનપ્તિ પસાવધ વચન બોલ્યા. કાયગુપ્તિ શરીર અણપડિલેહ્યું હલાવ્યું, અણપૂજે બેઠા. એ અષ્ટપ્રવચન માતા સાધુતણે ધર્મે સદૈવ અને શ્રાવક તણે ધર્મે સામાયિક પોસહ લીધે રૂડી પેરે પાળ્યાં
* અહીં ઇર્યાસમિતિ એટલે ઇર્યાસમિતિ સંબંધી અતિચાર એમ સમજવાનું છે.કેમકે ગાથામાં આચારનાં નામ આપ્યાં છે. તે પ્રમાણે અહીં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનાં નામ અનુક્રમે આપીને તેના અતિચારની સમજ આપી છે. અહિં અતિચારનો વિષય ચાલે છે માટે ભાષાસમિતિ આદિ દરેક ઠેકાણે આ પ્રમાણે સમજવું.
૧. ધાસ. ૨. અચિત્ત માટીનાં ઢેફાં. ૩. બળખો, લીંટ. ૪. ઘણા જીવજંતુવાળી. ૫. પાપવાળાં.