________________
૧૩૪
આવસ્સએણ એએણ, સાવઓ જઇવિ બહુરઓ હોઇ ।। દુક્ષાણમંતકકરઅં, કાહી અચિરેણ કાલેણ II૪૧||
અર્થ :- જો કે આરંભ તથા પરિગ્રહે કરી ઘણાં પાપ વાળો શ્રાવક હોય તો પણ આ પડિક્કમણાદિ આવશ્યક કરવાથી થોડા કાળમાં જ તે પાપરૂપ દુઃખોનો વિનાશ કરશે. ૪૧ વિસ્તૃત થયેલ અતિચાર
આલોઅણા બહુવિહા, ન ય સંભરિઆ પડિક્કમણકાલે । મૂલગુણ-ઉત્તરગુણે, તં નિંદે તં ચ ગરિહામિ ॥૪૨॥
અર્થ :- ગુરુ પાસે પાપ આલોવવાની રીતિ ઘણા પ્રકારની છે, તે પ્રતિક્રમણ કરવાના અવસરે જે ન સાંભરી હોય; તે ન સંભારવા થકી મૂળગુણને વિષે તથા ઉત્તરગુણને વિષે જે અતિચાર લાગ્યો હોય; તેને આત્મસાખે નિંદું છું અને ગુરુની સાખે ગહું છું. ૪૨
તસ્સ ધમ્મસ કેવલિપશત્તસ્સ II અબ્દુઢિઓમિ આરાહણાએ, વિરઓમિ વિરાહણાએ ॥ તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચઉવ્વીસ ॥૪॥