________________
૧૫૧ અશિd - ઉપદ્રવ જેનાથી. ભગવતે - સમગ્ર ઐશ્વર્યવાળા. નમસ્કૃત્ય - નમસ્કાર કરીને. | અહિત - યોગ્ય. સ્તોતુઃ - સ્તુતિ કરનારની. પૂજા-પૂજાને શાન્તિનિમિત્ત-શાન્તિના કારણરૂપ. | શાંતિજિના-શાંતિનાથ ભગવાનને. મંત્રપદે:- મંત્રોના પદવડે. જયવતે - રાગાદિકને જિતનારા. શાન્તયે - શાન્તિને અર્થે. | યશસ્વિને - યશવાળાને. સ્તૌમિ- હું સ્તુતિ કરુ છું. સ્વામિને-સ્વામિને. ઓમ્ ઇતિ - ૐ એવું. દમિનામુ ઇન્દ્રિયોને દમન નિશ્ચિતવચસે - નિશ્ચયવાચક પદ
કરનારા મુનિઓના. છે જેમનું. | સકલ - સર્વ. નમોનમો- વારંવારનમસ્કાર થાઓ. | અતિશેષક-ચોત્રીશ અતિશય રૂપ.
ઉપદ્રવે શ્રીસંઘ પીડાવાથી, તે શ્રીસંઘે માણસો મોકલી શ્રીમાનદેવસૂરિને હકીકત જાહેર કરી તે ઉપદ્રવ નિવારવા માટે વિનંતી કરી. તેથી પધા, જયા, વિજયા અને અપરાજિતા એ ચાર દેવીઓનું સાન્નિધ્ય છે જેમને એવા અને અત્યંત કરુણાભાવે કરીને સહિત એવા તે સૂરિએ ઉપદ્રવ નિવારવા અર્થે આ લઘુ શાન્તિસ્તવની રચના કરીને શાકંભરીના સંઘને મોકલ્યું. તેથી આ સ્તવન પોતે ભણવાથી અગર અન્ય પાસે સાંભળવા થકી અને સ્તવવડે મંત્રિત જળ છાંટવાથી ઉપદ્રવ નાશ પામ્યો અને સાત્તિ થઈ. આ પ્રમાણે આ સ્તોત્રની રચના શ્રી નાડુલ મધ્યે શ્રીમાનદેવસૂરિએ કરી. શાકંભરી સંઘનો ઉપદ્રવ શાન્ત થયો તેથી સર્વત્ર શાત્તિને અર્થે આ સ્તોત્ર ગણાય છે. હાલમાં દેવસિક પ્રતિક્રમણના અંતે પણ બોલાય છે. આ શાન્તિ પ્રતિક્રમણમાં ક્યારે દાખલ થઈ તે વિષે વૃદ્ધવાદ એવો છે કે શ્રી માનદેવસૂરિએ બનાવ્યા પછી માંગલિક અર્થે તે સર્વત્ર ગણાતી, (પાછળથી એટલે આજથી લગભગ ૫૦૦) વર્ષ અગાઉ એક યતિજીશ્રી ઉદેપુરમાં હતા. તેમની પાસે શ્રાવકો હરવખત માંગલિક અર્થે શાન્તિ સાંભળવા આવતા. લોકો વારંવાર આવી કંટાળો આપવા લાગ્યા, તેથી પ્રતિક્રમણમાં દુખફખય કમ્મફખયના કાઉસ્સગ્નને અંતે શાન્તિ કહેવી, જેથી સૌના સાંભળવામાં આવે એવો ઠરાવ કર્યો. ત્યારથી તે રીવાજ પ્રચલિત થયો.