________________
૨૦૧
અર્થ :- જેમનું દર્શન (સમ્યક્ત્વ) સંસારરૂપી રોગથી પીડાએલા જીવોને વૈદ્ય સમાન છે અને જે મોક્ષરૂપી લક્ષ્મીના સ્વામી છે. એવા શ્રી શ્રેયાંસનાથ ભગવાન તમારા કલ્યાણના અર્થે થાઓ. ૧૩.
વિશ્વોપકારકીભૂત તીર્થંકૃત્કર્મનિર્મિતિઃ ॥ સુરાસુરનરેઃ પૂજ્યો, વાસુ
પૂજ્યઃ પુનાતુ વઃ ॥ ૧૪ ||
અર્થ :- જેમણે સર્વ વિશ્વને ઉપકાર કરનારા એવા તીર્થંકર નામકર્મને નિષ્પન્ન કરેલું છે અને જે દેવ, અસુર અને મનુષ્યો વડે પૂજવા લાયક છે, એવા શ્રી વાસુપૂજ્યસ્વામી તમોને પવિત્ર કરો. ૧૪.
-
વિમલસ્વામિનો વાચઃ, કતકક્ષોદસોદરાઃ ।। જયંતિ ત્રિજગચ્ચેતો-જલનૈર્મલ્યહેતવઃ ॥ ૧૫ ॥
અર્થ :- `કતક ફળના ચૂર્ણ જેવી, ત્રણ જગતના ચિત્તરૂપી જળને નિર્મળ કરવામાં કારણરૂપ શ્રીવિમલસ્વામીની વાણીઓ જયવંતી વર્તે છે. ૧૫.
શબ્દાર્થ
સ્વયંભૂરમણ-સ્વયંભૂરમણ સમુદ્રની. | વારિણા - પાણી વડે.
સ્પદ્ધિ - સ્પર્ધા કરે એવા.
કરુણારસ - કરુણારસરૂપ.
અનંતિજમ્ - અનંતનાથજિન.
અનંતાં - જેનો અંત નથી એવી.
૧. ગમે તેવા મલિન જળમાં કતકચૂર્ણ નાખ્યું હોય તો જળને સ્વચ્છ કરે છે, તેમ પ્રભુની વાણી જગત્ના ચિત્તને નિર્મળ કરે છે.