________________
૧૬૪ જસુ તણુકંતિકડમ્પસિણિદ્ધઉ, સોહઈ ફણિમણિકિરણાલિદ્ધઉII નવજલહરતડિલય-લંછિઉં, સો જિણ પાસુ પયચ્છ વંછિઉ રા
અર્થ - જેના શરીરની કાન્તિનો સમૂહ સ્નિગ્ધ છે, વળી જે નાગેન્દ્રની ફણાની ઉપર રહેલા મણિના કિરણોથી વ્યાપ્ત છે, વળી જે વિજળીની લતાએ કરી સહિત એવા નવા મેઘની જેમ શોભે છે; તે શ્રી પાર્શ્વનાથ પ્રભુ મારા વાંચ્છિત પૂર્ણ કરો. ૨
૪૫. *ભરફેસરની સઝાય
ભરફેસર બાહુબલી, અભયકુમારો અ ઢંઢણકુમારો . સિરિઓ અણિયાઉત્તો, અઈમુત્તો નાગદત્તો અના
અર્થ - શ્રી ભરતેશ્વર, બાહુબલિજી, અભયકુમાર, તથા ઢંઢણકુમાર, શ્રી સ્થૂલભદ્રજીના નાનાભાઈ શ્રીયક, અર્ણિકાપુત્ર આચાર્ય, અતિમુક્તકુમાર તથા નાગદત્ત. ૧
મેઅજ યૂલિભદો, વયરરિસી નિંદિસેણ સીહગિરી કયવો અસુકોસલ,
૧. લુદ્ધઉ ઇતિ પાઠાન્તર.
* આ સઝાયમાં શીલવતને દ્રઢતાથી પાળનાર ઉત્તમ સત્ત્વશાળી પુરુષો અને સતીઓનું નામોચ્ચારપૂર્વક સ્મરણ થાય છે.