________________
૧૭૭
ધન્ના સલાહણિજ્જા, સુલસા આણંદ કામદેવા ય ।। જાસ પસંસઇ ભયવં, દૃઢવયત્ત મહાવીરો. ॥૨॥
અર્થ :- ધન્ય છે તે મનુષ્યોને અને તેઓ જ પ્રશંસાપાત્ર છે. સુલસા શ્રાવિકા આણંદ અને કામદેવ શ્રાવક જેમના દૃઢ વ્રતપણાને ભગવંત શ્રીમહાવીરસ્વામી વખાણે છે. ર
પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કાંઈ અવિધિ હુઓ હોય તે સવિ હુ, મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં IIII
અર્થ :- પોષહના અઢાર દોષમાં જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હુ - મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૩ ” લઉં ટ
૫૦. સામાયિક લેવાનો વિધિ
પ્રથમ સ્થાપનાચાર્યજી ન હોય તો ઉંચે આસને પુસ્તક આદિ જ્ઞાનાદિનું ઉપકરણ મુકીને શ્રાવક તથા શ્રાવિકાએ કટાસણું, મુહપત્તિ અને ચરવળો લઈ, શુદ્ધ વસ્ત્ર સહિત થઈ, જગ્યા પુંજી કટાસણું પાથરી તે ઉપર બેસી. મુહપત્તિ ડાબા હાથમાં મુખ પાસે રાખી, તે વડે મુખ ઢાંકી જમણો હાથ ઉંધો,
૧૨