________________
૧૬૧
ઉપસર્ગો:- ઉપસર્ગો. | મનઃ - મન. ક્ષય - ક્ષયને.
પ્રસન્નતાં પ્રસન્નપણાને. યાંતિ - પામે છે.
| એતિ - પામે છે. છિદ્યન્ત - છેદાય છે.
પૂજ્યમાને - પૂજન કરતાં. વિન - વિજ્ઞરૂપ.
જિનેશ્વરે - જિનેશ્વરનું. વલ્લયર - વેલાઓ.
માંગલ્ય - મંગલરૂપ. ઇતિ પૂર્વસૂરિદર્શિત, મંત્રપદ-વિદર્ભિતઃ સ્તવઃ શાન્તઃ II સલિલાદિ-ભયવિનાશી, શાંત્યાદિકરશ્ચ ભક્તિ-મતામ્ ૧૬ો
અર્થ - એ પ્રમાણે પૂર્વાચાર્યે બતાવેલા એવા મંત્રના પદથી ગર્ભિત એવું શાન્તિનાથનું સ્તવન જે જલ પ્રમુખના ભયનો નાશ કરનાર છે અને ભક્તિ કરનારા મનુષ્યોને શાન્તિ આદિ સુખનું કરનાર છે. ૧૬
યશ્ચન પઠતિ સદા, કૃણોતિ ભાવયતિ વા યથાયોગ | સહિશાન્તિપદં યાયાત, (પાઠાંતરે-શિવશાન્તિપદે યાયાત) સૂરિ શ્રીમાનદેવશ્ચ II૧૭
અર્થ - જે માણસ આ સ્તવનને નિરંતર ભણે છે, સાવધાન યોગ રાખી જે સાંભળે છે, વા મનમાં સ્મરણ કરે છે. તે માણસ અવશ્ય શાન્તિપદ પામે (પાઠાંતરે-કલ્યાણ અને શાન્તિનું સ્થાન પામે) શ્રી માનદેવસૂરિ પણ તે પદ પામે. ૧૭
૧. મન, વચન અને કાયા. ૧૧