________________
૧૨૮
ઉપધિવાળા એવા દુઃખીને વિષે. તથા ગુરુ નિશ્રાએ વિચરનારા સુસાધુને વિષે, રાગથી (આ મારો પુત્ર છે. આ મારો સગો છે ઇત્યાદિ બુદ્ધિએ)વા દ્વેષથી (આ સાધુઓને કોઈ દેતું નથી, મલિન શરીરવાળા છે, આશ્રય વિનાના છે ઇત્યાદિ બુદ્ધિએ) મને જે અન્નાદિ દેવારૂપ અનુકંપા થઈ હોય તેને હું નિંદું છું અને ગુરુની સાખે ગહું છું, અથવા વસ્ત્રાદિકે સુખી, રોગવડે દુઃખી એવા અસંયતી પાસસ્થાદિકને રાગથી (આશીર્ભાવથી અથવા પરિચયાદિ કારણે) અથવા દ્વેષથી જે મને દયા થઈ હોય તેને નિંદું છું અને ગુરુની સાખે ગહું છું અથવા અસંયત એટલે છકાયનો વધ કરનારા બ્રાહ્મણ, ભીખારી આદિ સુખી અગર દુઃખીને રાગ દ્વેષ કરીને દાન આપતાં જે અતિચાર લાગ્યો હોય તેને નિંદું છું અને ગુરુની સાખે ગહું છું. ૩૧
સાહૂસુ સંવિભાગો, ન કઓ તવચરણકરણ-જુન્નેસુ ॥ સંતે ફાસુઅદાણે, તં નિંદે તેં ચ ગરિહામિ ॥૩૨॥
અર્થ :- તપ તથા ચરણસિત્તરી અને કરણસિત્તરીએ સહિત એવા સાધુઓને વિષે; નિર્દોષ અશનાદિક હોવા છતાં મારે સંવિભાગ (આતિથ્ય)ન કીધો હોય, તેથી જે અતિચાર લાગ્યા હોય તેને હું નિંદું છું અને ગુરુની સાખે ગહું છું. ૩૨
+ આથી લાંબું અશુભ આયુષ્ય બંધાય છે. જે માટે આગમમાં કહ્યું છે કે તેવા રૂપના સાધુ, બ્રાહ્મણ, સંયત, પાપકર્મને હણનાર અને તેનું પ્રત્યાખ્યાન કરનાર એ બધાની હિલના, નિંદા, ખ્રિસા, ગહ અગર અન્ય કોઈ અપ્રીતિના પ્રકા૨પૂર્વક અશનાદિકે કરી દાન આપે તો પ્રાણી અશુભ લાંબું આયુષ્ય બાંધે છે.