________________
૧૨૩ આભરણ ઈત્યાદિ અનેક ઉપભોગ સંબંધી જે અતિચાર લાગ્યા હોય તે દિવસ સંબંધી સર્વ અતિચારને હું પડિક્કરું છું. ૨૫
કંદખે કુકકુઈએ, મોહરિ અહિગરણ ભોગઆઇરિત્તે / દંડુંમિ 'અણટ્ટાએ, તઈઅંમિ ગુણવએ નિંદે ર૬ll.
અર્થ - કામભોગની કથા કરવી, લોકોને હાંસી આવે એવી કાયચેષ્ટા કરવી, વાચાળપણે અઘટિત વચન બોલવાં, શસ્ત્ર વગેરે સજ્જ કરવાં, ઉપભોગ-પરિભોગની વસ્તુ ખપ કરતાં વિશેષ રાખવી; અનર્થદંડ વિરમણ નામના ત્રીજા ગુણવ્રતને વિષે જે અતિચાર લાગ્યા હોય તેને હું નિંદું છું. ૨૬
તિવિહેદુપ્પણિહાણે, અણવટ્ટાણે તહા સદવિહૂણે. સામાઇઅવિતહકએ, પઢમે સિફખાવએ નિંદે સારા
અર્થ - મન, વચન, કાયા એમ ત્રણ પ્રકારના દુપ્રણિધાન અર્થાત દુષ્ટ યોગ-વ્યાપારના ત્રણ અતિચાર, અવિનયપણે બે ઘડી કરતાં ઓછા વખતે સામાયિક પારવું. પ્રમાદથી સામાયિક લીધું છે કે નહિ તે યાદ ન રહેવું, એવી રીતે સામાયિકવિતથપણે અર્થાત્ ખોટી રીતે કરતાં પ્રથમ શિક્ષાવ્રતને વિષે જે અતિચાર લાગ્યા હોય તેને હું નિંદું છું. ૨૭
૧. જેથી આત્મા નિરર્થક દંડાય તે અનર્થદંડ, તેના પાંચ અતિચાર આ ગાથામાં જણાવ્યા છે અને કેવા કેવા કારણે અનર્થદંડ થાય છે તે ૨૪, ૨૫મી ગાથામાં વર્ણવેલ છે.