________________
૧૧૬ વિરુદ્ધ અંગથી વિષયક્રીડા કરવી.) પોતાના પુત્ર-પુત્રી સિવાય બીજાના વિવાહ કરવા, કામભોગને વિષે તીવ્ર અનુરાગ કરવો, (આ પાંચ) ચોથા વ્રતના અતિચાર મધ્યેથી જે કોઈ અતિચાર દિવસ સંબંધી મને લાગ્યો હોય તે સર્વને હું પડિક્કામું છું. ૧૬
પાંચમા વ્રતના અતિચાર ઇત્તો અણુવ્રએ પંચમંમિ, આયરિઅમધ્ધસલ્યુમિ // પરિમાણપરિચ્છેએ, ઇત્ય પમાયપ્રસંગેણ //1શા
અર્થ એ પછી, અહીંયાં પાંચમા અણુવ્રતને વિષે પ્રમાદના પ્રસંગ થકી, અપ્રશસ્ત ભાવે વર્તતાં થકાં પરિગ્રહના પ્રમાણનો પરિચ્છેદ કરવા થકી જે આચરણ સેવ્યું હોય તે જેમકે-૧૭.
ધણધન્ન-ખિત્તવત્થ, રુuસુવન્ને આ કુવિઅ-પરિમાણે II દુપએ ચણ્વિયંમિ ય, પડિક્કમે દેસિએ સવ્વ ૧૮
અર્થ - ધન-ધાન્ય, ખેતર-ઘરહાટ, રૂપું-સોનું અને રૂપાસોના સિવાય બીજી ધાતુની વસ્તુઓને પરિમાણ ઉપરાંત રાખવાથી તથા દાસ-દાસી વગેરે બે પગવાળાં અને ઘોડા વગેરે ચાર પગવાળાં પ્રાણીઓને પરિમાણ ઉપરાંત રાખવાથી લાગેલા દિવસ સંબંધી સર્વ અતિચારને હું પડિક્કામું . ૧૮
૧. ધન ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે-(૧) ગણી શકાય તે ગણિમ સોપારી, નાળીયેર વગેરે. (૨) તોળી શકાય તે ધરિમ ગોળ, ઘી વગેરે. (૩) માપી શકાય તે મેય કાપડ, જમીન, તેલ, દૂધ વગેરે અને (૪) પરીક્ષા કરવા યોગ્ય પારિ છે માણેક, મોતી, રૂપાનાણું વગેરે.