________________
૧૧૦
પાસે ગંધાવતાં અને બીજા રાંધતા હોય તેને અનુમોદન દેતાં છકાયના સમારંભને વિષે પ્રવર્તવા થકી જે (કર્મ બંધરૂપ) દોષ લાગ્યા હોય તેને હું નિંદું છું. ૭
સામાન્યથી બાર વ્રતના અતિચાર
પંચણ્ડ-મણુવ્વયાણું, ગુણત્વયાણં ચ તિહમઇયારે ॥ સિક્ખાણં ચ ચઉ ં; પડિક્કમે દેસિઅં સવ્વ ॥૮॥
અર્થ :- પાંચ અણુવ્રતને વિષે, ત્રણ ગુણવ્રતને વિષે, ચાર શિક્ષાવ્રતને વિષે અને તપ સંલેષણાદિને વિષે જે અતિચાર લાગ્યા હોય તે દિવસ સંબંધી સર્વ અતિચારને હું પડિક્કમું છું. ૮
પઢમે અણુવ્વયંમિ, થૂલગ-પાણાઇવાયવિરઇઓ ।। આયરિય-મપ્પસત્યે, ઇત્ય પમાયપ્પસંગેણં લા
અર્થ :- અહીંયાં પહેલા અણુવ્રતને વિષે; પ્રમાદના પ્રસંગ થકી અપ્રશસ્ત ભાવે વર્તતાં થકાં સ્થૂલ પ્રાણાતિપાતની નિવૃત્તિનું ઉલ્લંઘન કરીને જે આચરણ સેવ્યાં હોય તે જેમ કે-૯.
૧. સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી પ્રાપ્ત થાય માટે અણુવ્રત અને મહાવ્રતની અપેક્ષાએ ન્હાનાં માટે અણુવ્રત, તે પાંચ છે. તે પાંચ મૂળ ગુણ છે. ૨. મૂળ ગુણોને વિશેષ કરવાવાળાં તેથી ગુણવ્રત, તે ત્રણ છે.
૩.
શિષ્યને વિદ્યાગ્રહણની પેઠે વારંવાર સેવન કરવા યોગ્ય હોવાથી શિક્ષાવ્રત તે ચાર છે બાર વ્રત માંહેલા પહેલા આઠ વ્રતો યાવત્કથિત (કાયમના) અને ચાર વ્રત ઇત્વકાલિક (થોડાકાળ માટે) સમજવા.