________________
૧૦૧ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિઅં આલોઉં? ઇચ્છ, આલોએમિ. જો મેo.
અર્થ - હે ભગવંત! આપ ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો (તો) દિવસ સંબંધી (જે અતિચાર લાગ્યા હોય તે) પ્રકાશું. (ગુરુ કહે “આલોએહ” પ્રકાશો.) શિષ્ય કહે- આપનું વચન અંગીકાર કરું. છું અને પ્રકાશે છું. (જો મે ઈત્યાદિ બાકીનો પાઠ “ઈચ્છામિ ઠામિ” પેઠે સમજવો.).
૩૧. સાત લાખ સૂત્ર. સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપૂકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય,
૧. યોનિ એટલે જીવને ઉપજવાનાં સ્થાનક, તે બધા જીવોનાં મળીને ૮૪ લાખ ઉત્પત્તિસ્થાન છે. સ્થાનક તો તે કરતાં પણ વધારે છે, પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન વડે કરી જેટલાં સ્થાનક સરખાં હોય તે એક સ્થાનક ગણાય. તેની ગણતરી આ પ્રમાણે છે – પૃથ્વીકાયના મૂળભેદ ૩૫૦, તેને પાંચ વર્ષે ગુણતાં ૧૭૫૦) થયા, તેને બે ગંધે ગુણતાં ૩૫૦૦) થયા, તેને પાંચ રને ગુણતાં ૧૭૫૦૦) થયા, તેને આઠ સ્પર્શે ગુણતાં ૧૪૦૦૦) થયાં, તેને પાંચ સંસ્થાને ગુણતાં સાત લાખ ભેદ પૃથ્વીકાયના થયા. એમ બધાની ગણતરી કરવી. ઉપરોક્ત ૮૪ લાખ જીવયોનિ માંટે ઉત્પન્ન થયેલ હરકોઈ જીવને હણ્યો હોય, હણાવ્યો હોય, અગર હણતાને અનુમતિ આપી હોય, તે સંબંધી મિથ્યાદુકૃત આ સૂત્રવડે દેવાનું છે.