________________
૧૦૪
પાપસ્થાનકમાંહે મહારે જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોઘું હોય, તે સવિ હું, મને, વચને, કાયાએ, કરી મિચ્છા મિ દુક્કડં.
અર્થ :- પરજીવના પ્રાણનો નાશ ચિંતવવો તે પ્રાણાતિપાત; અસત્ય બોલવાના પરિણામ તે મૃષાવાદ; પારકી વસ્તુ ધણીની સંમતિ વિના લઈ લેવાની વૃત્તિ તે અદત્તાદાન; વિષયભોગની વાંચ્છારૂપ પરિણામ તે મૈથુન; નવ પ્રકારે બાહ્ય અને ચૌદ પ્રકારે +અત્યંતર વસ્તુ આદિની વાંચ્છા અથવા મૂર્છા તે પરિગ્રહ; પરની ઉપર તીવ્ર પરિણામે મુખાદિ અવયવ તપાવવા તે ક્રોધ; પ્રાપ્ત વા અપ્રાપ્ત વસ્તુનો અહંકાર તે માન; ગુપ્તપણે સ્વાર્થવૃત્તિ સિદ્ધ કરવાની વાંચ્છા તે માયા; ધનાદિ સંપત્તિને એક્જી કરી સંગ્રહ કરી રાખવાની મનોવૃત્તિ તે લોભ; પૌદ્ગલિક વસ્તુ ઉપર પ્રીતિ તે રાગ; અણગમતા જીવાદિ પદાર્થો ઉપર અરુચિ તે દ્વેષ; પરની સાથે વિખવાદ કરવાની વૃત્તિ તે કલહ; પરજીવને નહીં દીઠેલું, નહી સાંભળેલું આળ દેવું તે અભ્યાખ્યાન; પરજીવના દોષની ચાડી ખાવી તે પૈશુન્ય; સુખ-દુઃખ આવ્યે હર્ષ શોક કરવો તે રતિ-અતિ; ગુણી વા નિર્ગુણી જીવની નિંદા કરવી તે પરપરિવાદ; કપટવૃત્તિથી અસત્ય બોલી છળ કરીને લોકોને ઠગવાના પરિણામ તે માયામૃષાવાદ; વ્યવહારથી કુદેવ, કુગુરુ
+ મિથ્યાત્વ, ત્રણ વેદ, હાસ્યાદિ ષટ્ક અને ચાર કષાય. આ ચૌદ પ્રકારે અત્યંતર પરિગ્રહ છે.